SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ચોદ ગુણસ્થાનિક ભાગ-૩ છોડીને કૃત્રિમ કુટિલતાને આશ્રય કોણ આપે ? આ વાત સ્વભાવને સમજનારા આત્માઓ માટે ઘણી જ સુંદર છે, પણ જેઓને આત્માના સ્વભાવની વાત પણ પસંદ નથી, તેઓ માટે આવી વાત પણ જરાય હિતને કરનારી થતી નથી. સરલતાથી જ મુક્તિસાધના : અનંત ઉપકારિઓ તો ક્રમાવે છે કે-ધન્ય છે તે આત્માઓને, કે જેઓ છલ, પશુન્ય અને વક્રોક્તિથી વંચન કરવામાં પ્રવીણ એવા પણ માણસ ઉપર સુવર્ણની પ્રતિમાની માફ્ટ વિકાર વિનાના રહે છે. ઠગવાનો પ્રયત્ન કરનાર ઉપરેય સહજ પણ વિકાર ન થવો, એ સામાન્ય ગુણ નથી. આત્મામાં અતિશય ઉત્તમતા જનમ્યા વિના આ દશા આવવી, એ કોઇ પણ રીતિએ શક્ય નથી. અનંત ઉપકારિઓ માને છે કે- અહો ! ધૃતસાગરના પારને પામેલા એવા પણ શ્રી ગૌતમ મહારાજા, કે જેઓ ગણધરદેવોમાં પ્રથમ હોઇ શ્રેષ્ઠ હતા, તે પણ આર્જવના પ્રતાપે ભગવાનની વાણીને એક શેક્ષની માફ્ટ સાંભળતા હતા. આ આશ્ચર્ય એ અકારણ નથી. આજે નહિ જેવા જ્ઞાનની પ્રાપ્તિ છતાં પણ કોઇનું સાંભળવું એ પાલવતું નથી અને સાંભળવા છતાં પણ હું જાણું છું.” -એમ બતાવવાના ચાળા કરવાનું મન થયા વિના રહેતું નથી. આ દશામાં એ સરલતા સ્વપમાંય કેમ સંભવે ? આલોચના માટે પણ અજુતા જરૂરી છે. બાજુતાપૂર્વક આલોચના કરનારો સઘળાય દુષ્કર્મને ખપાવી નાંખે છે, જ્યારે કુટિલતાથી આલોચનાને કરનારા અલ્યા પાપ હોય તોય તેને ઘણું વધારી દે છે. કાયામાં, વચનમાં અને ચિત્તમાં સર્વ પ્રકારે અકુટિલ નહિ બનેલા આત્માઓનો આ સંસારથી. મોક્ષ નથી. મોક્ષ તે જ આત્માઓનો છે, કે જેઓ કાયામાં, વચનમાં અને મનમાં સર્વ પ્રકારે સરલ બનેલા છે. આજ સુધીમાં જેઓએ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy