SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 ૧૪૩ મોક્ષને સાધ્યો છે, તેઓએ સરલતાથી જ મોક્ષને સાધ્યો છે, જેઓ અત્યારે મોક્ષને સાધી રહ્યા છે, તેઓ પણ સરળતાથી મોક્ષને સાધી રહ્યા છે, અને જેઓ મોક્ષને સાધશે તેઓ પણ સરળતાથી જ મોક્ષને સાધશે ! કુટિલ આત્માઓ મોક્ષ પામ્યા પણ નથી, પામતા પણ નથી અને પામશે પણ નહિ. આથી સ્પષ્ટ છે કે- સાધુધર્મની આરાધના દ્વારા અત્યકાલમાં મોક્ષ સધાય એ બરાબર છે, પણ એ સુસાધુધર્મને આરાધવાને માટે જેમ પાપવ્યાપારોના પરિવર્જનમાં પ્રયત્નશીલ બનવાની જરૂર છે, તેમ હજુ એટલે સરલ બનવાની પણ જરૂર છે. મહાવતોના પાલન સિવાયની આસક્તિને તજવી જોઇએ - સુસાધુધર્મ અને ગૃહિધર્મ' -આ બે પ્રકારના ધર્મમાંથી પ્રથમના ધર્મને આરાધવા માટે આત્મા જેમ પાપવ્યાપારોના પરિવર્જનમાં ઉક્ત હોવા સાથે સરલ પણ હોવો જોઇએ, તેમ પાંચ મહાવ્રતો રૂપી જે પર્વત, તેના ગુરૂભારને સારી રીતિએ વહન કરવામાં પ્રવણ પણ હોવો જોઇએ. આ વસ્તુ ત્યારે જ બને, કે જ્યારે આત્માની પાંચ મહાવ્રતોના પાલન સિવાયની અન્ય આસક્તિ હોય નહિ. જે આત્માના ત્રણે યોગો મહાવ્રતોને જ સમર્પિત થઇ જાય છે, તે જ આત્મામાં આવી પ્રવણતા આવે છે પણ અન્યમાં નથી આવતી. ત્રિવિધ ત્રિવિધ હિંસા, અસત્ય, ચોરી, મેથુન અને પરિગ્રહનો ત્યાગ એ પાંચ મહાવ્રતો છે. આ પાંચ મહાવ્રતો એ પર્વતની માફ્ટ મહાન છે, એમાં શંકાને અવકાશ જ નથી. પર્વત મહા ભારે હોય, તેમ પાંચ મહાવ્રતો પણ પર્વત જેવાં હોઇ મહા. ભારે છે. એ મહાભારને સારી રીતિએ વહન કરવાની જ આસક્તિ આવ્યા વિના, પાંચ મહાવ્રતો રૂપ પર્વતના મહાભારને સારી રીતિએ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy