________________
છે
ચૌદ ગુણસ્થાનક ભાગ-3 ––––––––––––––––––––––– સઘળુંય કપટ એ મૃત્યુનું પદ છે અને આર્જવ એ બ્રહ્મનું પદ છે : જ્ઞાનનો વિષય પણ ખરો આ છે. બાકીના પ્રલાપનો અર્થ શો છે ?' ખરેખર, સરલતાના સ્વામિઓ લોકમાં પણ પ્રીતિનું કારણ થાય છે. કુટિલ માણસોથી તો જીવો સર્પથી જેમ ઉઢેગને પામે છે, એ જ રીતિએ ઉદ્વેગને પામે છે. કપટથી રહિત છે ચિત્તવૃત્તિ જેઓની એવા મહાત્માઓને, તેઓ ભગવાસને સ્પર્શનારા હોવા છતાં પણ, મુક્તિસુખ એ સ્વસંવેધ બની જાય છે. જ્યારે, જેઓ કુટિલતાથી કિલષ્ટ મનના માલિક બન્યા છે, તેઓ પરના વ્યાપાદનમાં જ રક્ત હોય છે, એટલે તેઓને તો સ્વમમાં પણ સુખ ક્યાંથી થાય ? જ્ઞાનિનેય સરલતા સરલ નથી -
સમગ્ર વિદ્યાઓમાં વૈદુષ્ય પામવા છતાં અને ક્લાઓને જાણ્યા છતાં, એવા ધન્ય આત્માઓ તો થોડા જ હોય છે, કે જેઓને બાળકોના જેવું સરલપણું મળ્યું હોય ! વિદ્વત્તા અને કલાવેદિતા મળવી સરલ છે, પણ સરલતા મળવી એ સરલ નથી. વિદ્વત્તા અને કલાવેદિતા સાથે સરલતાની પ્રાપ્તિ, એ કોઇ ધન્ય આત્માઓ માટે જ સરજાયેલી છે. અજ્ઞાન એવાં બાળકોની સરલતા પણ જો પ્રીતિને માટે થાય છે, તો પછી સર્વ શાસ્ત્રોના અર્થથી ઓતપ્રોત ચિત્તવાળા બનેલા પંડિત પુરૂષોની સરલતા પ્રીતિનું કારણ થાય, એમાં તો પ્રશ્ન જ શો ? અજ્ઞાનિઓની સરલતા કરતાં જ્ઞાનિઓની સરલતા, એ ઘણી જ કિંમતી વસ્તુ છે. આવા જ્ઞાનિઓની સરલતા એ જગત માટે પણ સુરલતા સમી છે, પણ એ સરલતા જ્ઞાનિઓનેય સહજપ્રાપ્ય તો નથી જ. આ રીતિએ સરલતાની પ્રાપ્તિને અતિશય મુક્લ બનાવનારી અતિશય ભયંકર કોટિની દશા સ્વભાવને ભૂલવાથી થઇ ! અન્યથા, જ્ઞાનિઓ તો માને છે કે સરલતા એ સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે કુટિલતા એ કુત્રિમ વસ્તુ છે. સ્વાભાવિક સરલતાને