SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ચૌદ પુણસ્થાનક ભાગ-૩ બચ્ચાઓનું પણ ભક્ષણ કરે છે અને તેઓ પણ માયાવી એવા મચ્છીમારોથી બન્ધાય છે. શિકારીઓ પણ નાના પ્રકારના ઉપાયોથી સ્થલચર જીવોને અનેક આપત્તિઓ આપે છે. પક્ષિઓ પણ પરસ્પર માયાના ઉપાયથી અનેક જાતિનાં પાપોને આચરે છે. આ રીતિએ પારકાને ઠગવામાં તત્પર એવા જીવો આખાએ લોકમાં વ્યાપેલા હોય છે, અને તેઓ, પોતાના ધર્મનો અને પોતાની સદ્ગતિનો નાશ કરી પોતે જ ઠગાય છે. પ્રીતિ અને ઉદ્વેગના ક્ષરણ રૂપ : આ સઘળો, પ્રપંચ માયાનો છે. આ માયાના નાશ વિના, સુસાધુધર્મની આરાધના શક્ય નથી. આમાયાના નાશ માટે જતા જ સાચો ઉપાય છે. સરલતા રૂપ સાચા ઉપાયના આસેવન વિના માયા મરવાની નથી અને એ વિના સુસાધુધર્મ આરાધાવાનો નથી. આ કારણે, સુસાધુધર્મને આરાધવા માટે માયાને મારનાર આ જુતાનો સ્વીકાર કરી, કાજુ બનવાની ઘણી જ અગત્ય છે. માયા, એ જગતનો દ્રોહ કરનારી હોવાથી વિષધરીના જેવી છે. માયા રૂપ વિષધરીથી ડસાયેલા આત્માઓ, જંગમ લોક ઉપર અપકાર કરવાની વૃત્તિથી ભરેલા હોય છે. એવા આત્માઓ સુસાધુધર્મની આરાધના કરવાને અયોગ્ય છે. સુસાધુધર્મની આરાધના કરવા ઇચ્છતા આત્માઓએ માયા-વિષધરીને જીતવી જ જોઇએ. એને જીતવાને માટે આર્જવ એ મહોષધિ છે અને એ જગતને આનન્દ આપનાર છે. આ આર્જવગુણને આત્મસાત કરી, હજુભાવને ધરવો, એ આ સુસાધુધર્મને આરાધવા ઇચ્છનારાઓ માટે અતિશય જરૂરી છે. અનંત ઉપકારી પરમર્ષિઓ ક્રમાવે છે કે-સરલતા એ મુક્તિપુરીનો સરલ પંથ છે : બાકીનો સઘળોય આચારવિસ્તાર એની સાધનાને માટે જ છે. અન્યો પણ કહે છે કે
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy