SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ૧૩૯ પ્રપંચના ગુણોનો આશ્રય લઇ અનેક રીતિએ પોતાની ઠગવિદ્યાનો ઉપયોગ કરે છે. એ જ રીતિએ માયામાં સર્વસ્વ માનનારા બ્રાહ્મણો, કે જેઓ અંદરથી અપ્રમાણિક હોઇ સાર વિનાના છે, તેઓ પણ બહારના આડમ્બરથી તિલકો દ્વારા, મુદ્રા દ્વારા, મન્ટો દ્વારા અને પોતાની ક્ષામતાના દર્શન દ્વારા લોકને ઠગે છે. માયાને ભજનારા વાણિયાઓ પણ ખોટાં તોલ, ખોટાં માન અને શીઘ્રકારિતા આદિ અનેક પ્રકારોથી ભોળા લોકને ઠગે છે. બતાવવું કાંઇ અને આપવું કાંઇએ વગેરેમાં માયાવી વાણિયાઓ એવા ઝડપી હોય છે કે-ભોળાઓને વાત-વાતમાં ઠગી શકે છે. તેઓ તોલ અને માપમાં એવી શીવ્રતાથી ચાલાકી કરી શકે છે કે-ભોળાઓ ભાગ્યે જ કળી શકે. હૃદયમાં નાસ્તિક્તા છતાં, અનેક જાતના યાગિના વેષમાં પાખંડને ભજનારા માયાવિઓ પણ જટાધારી બનીને, મુંડ બનીને તથા શિખા, ભસ્મ, વલ્કલ કે નગ્નપણું આદિ ધરીને ભોળા શ્રદ્ધાળુઓને ઠગે છે. આવા ઠગારાઓ જગતમાં ઓછા નથી હોતા. રાગ વિનાની હોવા છતાં રાગ બતાવવાની કળામાં કુશળ અને હાવ, ભાવ, લીલા પૂર્વક્ની ગતિ અને વિલોક્કો દ્વારા કામિઓને રંજિત કરતી વારાંગનાઓ પણ જગતને ઠગે છે. પત્નીઓ પતિઓને અને પતિ પત્નીઓને, પિતા પુત્રોને અને પુત્રો પિતાને, ભાઇ ભાઇને અને મિત્રો મિત્રોને માયાથી પરસ્પરને ઠગનારા બની જાય છે. અર્થના લોભી લોકો અને ચોર આદિ લોકો માયા. આચરવામાં સદા જાગૃત રહે છે અને અહર્નિશ જાગૃત એવા તે લોકો પ્રસંગ મળે પ્રમાદી લોકોને ઠગ્યા વિના રહેતા નથી. પોતાના પાપફળને ભોગવતા અધમ આત્માઓ અનેક રીતિએ સારા લોકોને ઠગે છે. ચત્તર આદિ કુયોનિમાં રહેલા દેવો પણ પ્રમાદી એવા માણસોને ક્રૂર બન્યા થકા બહુ પ્રકારનાં છલો દ્વારા ઘણી ઘણી પીડાઓ કરે છે. મત્સ્ય આદિ જલચર જીવો કપટથી પોતાનાં
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy