________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
૧૩૭ હિંસા એ મહાપાપ છે અને એ પાપથી બચવા માટે, જીવા માત્રને પોતાની માફ્ટ માની, તેની રક્ષામાં ઉદ્યમશીલ બનવું એ જરૂરી છે. હિંસાના પાપથી એ વિના બચાય તેમ નથી. એ પાપથી બચવા માટે અનંતજ્ઞાનિઓએ ક્રમાવેલ વિધિ મુજબ જ પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્તિ કરવાની છે. આજ્ઞાની ઉપેક્ષા એટલે આત્મહિતની જ ઉપક્ષા સમજો. આજ્ઞાથી વિરૂદ્ધ જાતિના અનુકરણના નાદે ચઢેલાઓ, અનંતજ્ઞાનિઓએ કરેલને કરવાના નામે, આત્મહિતનો કારમો સંહાર કરી રહ્યા છે. એવાઓની દયા ઘણીય આવે, એ છતાં તેઓનું અહિત થતું ન અટકે એ પણ બનવાજોગ છે. હિંસા રૂપ પાપથી બચવા માટે પણ અનંતજ્ઞાનિઓની આજ્ઞા એ પરમ આધાર છે. અનન્તજ્ઞાનિઓએ પ્રરૂપ્યા મુજબ છ કાચના જીવોની સાચી શ્રદ્ધા કેળવી, તેના સ્વરૂપને જાણી, એ જીવોની વિરાધનાથી બચવા માટે પાપવ્યાપારોના પરિવર્જન માટે ઉઘુક્ત રહેવું, એ ખૂબ જ આવશ્યક છે. એ વિના, પ્રથમનો જે સુસાધુધર્મ-તેને સાધવા દ્વારા શિવપદને ઘણા જ અધ્યકાલમાં આત્મસાત કરી દેવું, એ કોઇ પણ રીતિએ બનવાજોગ નથી. અને હિંસાથી બચવાને માટે અનન્તજ્ઞાનિઓની આજ્ઞાનો આધાર લીધા વિના ચાલે એવું નથી. ઋજુ પણ બનવું જોઇએ
સુમાર્ગે લાગીને સુસાધુધર્મના પાલન દ્વારા શ્રી સિદ્ધપદને અલ્પકાલમાં જ સાધવાના અથિએ જેમ પાપવ્યાપારના પરિત્યાગ માટે પ્રયત્નશીલ બનવાની જરૂર છે, તેમ હજુ બનવાની પણ જરૂર છે. ઋજુતા એટલે સરલતા નામનો ગુણ પામ્યા વિના, આત્મા હજુ એટલે સરલ બની શકતો નથી. માયાવી આત્મા આ સુસાધુધર્મની આરાધના માટે નાલાયક છે. માયા, એ એક એવો