SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ – – – – – – – – – – ––– – – – ચંદ ગુણસ્થાન ભાગ-૩ ૧૩૫ – એવો આત્મા દીક્ષા માટે લાયક નથી. પ્રજ્ઞશુદ્ધ અને કથાશુદ્ધની પણ પરીક્ષા કરવી-એમ શાસ્ત્રો સ્પષ્ટ શબ્દોથી માવે છે. દશ્મિઓ દભના બળે પ્રશ્નપરીક્ષા અને કથાપરીક્ષામાં પાસ થવાનું કૌશલ્ય ધરાવતા જ હોય છે : આ જ કારણે શ્રી ધર્મબિન્દુની ટીકામાં સાફ શબ્દોથી માવ્યું છે કે-અસત્યો સત્ય જેવાં દેખાય છે, માટે એવાઓની પરીક્ષા જરૂર કરવી. પ્ર—શુદ્ધ અને કથાશુદ્ધનો અભ્યાગમ કરીને પણ, તેને દીક્ષિત કરતાં પહેલાં, તેની જરૂરી પરીક્ષા જરૂર કરવી, એમ ઉપકારિઓ માવે છે. સમ્યગ્દર્શનાદિની તેની પરિણતિની પરીક્ષા પરિચય વિના શક્ય નથી ? અને એ માટે પ્રાયઃ છ માસ” નો કાલ સૂચવવામાં આવ્યો છે. પ્રાયઃ દ્વારા એ સૂચવ્યું છે કે-પાત્રની અપેક્ષાએ પરીક્ષાકાલ છ માસથી અલ્પ પણ થઇ શકે છે અને અધિક પણ થઇ શકે છે. જીવનભર પાપમાર્ગને પ્રમાદથી પણ ન આચરવાના માર્ગે જેને લેવો છે, તેની પાપભીરતા પણ ન તપાસવી, એ ન્યાય ક્યાંનો ? બાળક તો કુણું હોય છે; એને જેમ વાળીએ તેમ એ વળે એવું હોય છે; એમ છતાં પણ એનાય સ્વભાવનો અભ્યાસ કરવો પડે છે, તો પછી મોટી ઉમ્મરના જે આવે તેને માટે તે પાપમય વ્યાપારોના પરિત્યાગમાં પ્રયત્નશીલ છે કે નહિ, એ શા માટે ન તપાસવું? એ તપાસવાની આજ્ઞા છતાં, એની ઉપેક્ષા કરવામાં કયી લ્યાણબુદ્ધિ આવી જાય છે ? દ્વિસંપન્ન- લક્ષ્મીની મૂચ્છ વિનાનો છે કે નહિ ?' -આ પણ તપાસવાનું વિધાન છે, તો પછી - “પાપમય વ્યાપારોના પરિત્યાગમાં પ્રયત્નશીલ છે કે નહિ ?' –આ વાત તપાસવાની હોય, એમાં આશ્ચર્ય શું છે ? જે સુસાધુધર્મ પાપમય વ્યાપારોના પરિત્યાગની પ્રયત્નશીલતા વિના સાધ્ય નથી, સુસાધુધર્મના અર્થિની પણ સાવધ વ્યાપારના પરિવર્જનની ઉઘુક્તતા જેવાનું વિધાન અવશ્ય હોય જ. સંવેગ અને વૈરાગ્યનાં પોષક શાસ્ત્રોના અભ્યાસ માટે અભ્યાસ કરનારમાં
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy