________________
૧૩૪
યૌદ d[ણસ્થાનક ભાગ-3
—
—
—
—
—
—
—
—
—
—
—
સાચા રૂપમાં આરાધી શકે છે; અને એવો આત્મા ઘણા જ અલ્પ કાલમાં અપવર્ગપુર એટલે મોક્ષ-તેને પામે, એમાં શંકા એ કારમાં અજ્ઞાન સિવાય શક્ય નથી. આવા અનુપમ અને અજોડ એવા સુમાર્ગની આરાધનામાં ત્રિવિધે ત્રિવિધે મચેલો આત્મા, અલ કાલમાં જ શિવપુરને સ્વાધીન બનાવે, એમાં અસંભવિત જેવું શું છે, કે જેથી શંકાનો આવિર્ભાવ શક્ય બને ? સુમાર્ગના સ્વરૂપને જેઓ ન સમજે તેઓને જ આમાં શંકા જન્મ. બાકી, સન્માર્ગના સ્વરૂપને જાણનારા આત્માઓના અંતરમાં તો એવી શંકા જન્મવાને કોઇ કારણ જ નથી. પરીક્ષાની આજ્ઞા :
પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર રૂપ મોક્ષમાર્ગની આરાધનામાં ત્રિવિધે ત્રિવિધે લાગી જવું, એ કાંઇ સાધારણ વસ્તુ નથી. એ સન્માર્ગને આરાધવામાં લાગી જવા દ્વારા સુસાધુધર્મને સારી રીતિએ આરાધી અધ્યકાલમાં મોક્ષ મેળવવા માટે ઘણી ઘણી લાયકાતો આત્મામાં પ્રગટાવવી જોઇએ. સન્માર્ગની આરાધનામાં લાગી જઇ, સાધુધર્મને સાધવા દ્વારા ઘણા જ અલ્પકાલમાં મોક્ષ મેળવવા ઇચ્છનારાએ, પ્રથમ તો સાવધ કાર્યોના પરિવર્જનમાં ઉઘુક્ત બનવું જોઇએ. જે આત્મા પાપમય કાર્યોના પરિત્યાગમાં પ્રયત્નશીલ નથી હોતો, તે આત્મા આ સુસાધુધર્મને સાચા રૂપમાં કોઇ પણ રીતિએ આરાધી શકતો નથી. ઉપકારિઓએ તો, દીક્ષાર્થિની પરીક્ષા માટેય, આ વસ્તુને તપાસવાની આજ્ઞા
માવી છે. જ્યાં દુરાગ્રહ હોય છે ત્યાં સ્વાભાવિક રીતિએ મિથ્યા ભાવનું અન્ધપણું આવી જાય છે. આમ કરવાથી પાપ લાગે અગર તો અમુક પ્રવૃત્તિ એ પાપ પ્રવૃત્તિ છે.” -એમ ગુરૂ દ્વારા કહેવામાં આવે, તે છતાં પણ જે આત્મા એ પ્રવૃત્તિ કરતાં આંચકો ન અનુભવે,