SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ યદ |Hસ્થાનક ભા-૩ ૧33 - - — - - - જિનેશ્વરદેવોએ બે પ્રકારનો ધર્મ પ્રરૂપ્યો છે. એ બેય પ્રકારનો ધર્મ, એ શિવનગરે લઇ જનારો માર્ગ છે; પણ તેમાંનો એક જલદી પહોંચાડનારો માર્ગ છે, જ્યારે બીજી કાળે કરીને પહોંચાડનારો માર્ગ છે. શિવપુરે જલદી પહોંચાડનારો માર્ગ એ સુસાધુધર્મ છે અને કાળે કરીને શિવપુરે પહોંચાડનારો માર્ગ એ ગૃહિધર્મ છે. સાધુધર્મથી જલદી મુક્તિ પમાય-એ નિઃશંક વાત છે : આ ઉભય પ્રકારનો ધર્મ પ્રરૂપી, જગત સમક્ષ મોક્ષમાર્ગને સ્થાપિત કરનાર ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો આ વિશ્વ ઉપર ઓછો ઉપકાર નથી. આવા ઉપકારી પરમર્ષિઓને પરમ પ્રકારે આરાધવાનો એક જ ઉપાય છે, અને તે બીજો કોઇજ નહિ, પણ એ તારકોની આજ્ઞાનો યથાશક્તિ અમલ કરવો એ જ છે ! આથી તમે સમજી શકશો કે-શ્રી જિનેશ્વરદેવોની આરાધના કહો કે યથાવસ્થિત મુક્તિમાર્ગની આરાધના કહો, એ સર્વનો ભાવ એક જ છે. શ્રી જિનેશ્વરદેવોએ માતેલા સુસાધુધર્મ અને ગૃહિધમી આ બેમાંના પ્રથમના ધર્મને આરાધનારો, જલદી મોક્ષને સાધી. શકે છે, એ વાત શંકા વિનાની જ છે; પરંતુ એ પ્રથમ ધર્મને આરાધવા માટે, તેને આરાધવા ઇચ્છતા આત્માએ અનેક ગુણોથી અલંકૃત બનવું, એ અતિશય જરૂરી છે. શ્રી જિનેશ્વરદેવોએ માવેલા “સુસાધુધર્મ અને ગૃહિધર્મ' -આ બે પ્રકારના ધર્મમાંથી પ્રથમ પ્રકારના ધર્મને સારી રીતિએ સેવનારા પુણ્યાત્માઓ અલ્પ કાલમાં જ મોક્ષને પામે છે, આ વાત એટલી બધી યુક્તિસિદ્ધ છે કે-આની સામે કોઇ પણ સમજુ પ્રશ્ન પણ કરી શકે તેમ નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર રૂપ જે સુમાર્ગ એમાં મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદના દ્વારા લાગી ગયેલો આત્મા જ, આ “સુસાધુધર્મ' નામના પ્રથમ ધર્મને
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy