SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧30 ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ - - - - - - અજ્ઞાનતા આદિથી હિંસાને પણ અહિંસા અને અહિંસાને પણ હિંસા તરીકે ઓળખાવનારા બની ગયા વિના રહે નહિ. એવા ભયંકર કોટિના અજ્ઞાન આત્માઓ વાસ્તવિક રીતિએ અહિંસક હોતા નથી પણ હિંસક જ હોય છે અને અહિંસા આદિના નામે પણ એવાઓ અનેક અજ્ઞાન તથા ભદ્રિક આત્માઓને હિંસાના જ ઉપાસકો બનાવી દે છે. કલ્યાણના અર્થી આત્માઓએ સદા સાવધ રહેવું જોઇએ અને સદ્રઅસહ્ના પરીક્ષક પણ બનવું જોઇએ. અહિંસાની રૂચિ એ સુન્દરવસ્તુ છે, પણ અજ્ઞાન એ મહાશત્રુ છે. અજ્ઞાનવશ, હિંસાથી વિરામ પામવાને બદલે શુ અહિંસાના વિરોધી ન બની જવાય, એની પણ કાળજી રાખવી જોઇએ. અજ્ઞાનાદિ જે આઠ પ્રકારનો પ્રમાદ છે, તેને જાણી તેના ત્યાગ માટે અહિંસાપ્રેમી આત્માઓએ સદા તત્પર બનવું જોઇએ. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એમ પણ પાંચ પ્રકારે પ્રમાદો ગણાય છે. બસ અગર તો સ્થાવર એવા કોઇ પણ જીવના જીવિતનું પ્રમાદયોગથી વ્યપરોપણ એ હિંસા છે અને એવી હિંસાને તજનારા આત્માઓ જ પ્રથમ મહાવ્રતના પાલકો છે. આથી સમજી શકાશે કે-સાચા યતિઓએ પ્રમાદના ત્યાગ તરફ લેશ પણ બેદરકારી રાખવાની હોય નહિ. પ્રમાદના ત્યાગની બેદરકારી, એ હિંસાની જ તત્પરતા છે અને સાધુમાં એ સંભવે જ કેમ ? ઉપકારિઓ માને છે કેપ્રમાદયોગથી બસ અને સ્થાવર-કોઇ પણ જીવની હિંસા ન થાય, એ રીતિએ અહિંસક પરિણામ રાખીને વર્તવું, એ પ્રથમ મહાવ્રત છે. સ. આ વ્રતનું પાલન સંસારમાં રહીને પણ કરી શકાય, એ શું શક્ય છે ? સાધુતા પામ્યા વિના સાધુતા પામવા માટે અનંતજ્ઞાનિઓએ માવ્યા મુજબનો ત્યાગ આદિ કર્યા સિવાય, આ મહાવ્રતનું
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy