SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક માણ-3 જીવો જ્ઞાન અને દર્શનએ બે રત્નોથી સર્વથા હીન સંભવે જ નહિઃ પરન્તુ અહીં તો રત્નત્રયની વાત છે. ત્રીજું રત્ન સમ્ચારિત્ર છે. સાવધ યોગો એટલે સપાપ વ્યાપારો-તેના ત્યાગને સમ્યારિત્ર કહેવામાં આવે છે, પણ તે ત્યાગ જ્ઞાન અને શ્રધ્ધાન પૂર્વકનો હોય તો ! જ્ઞાન અને શ્રદ્ધાનથી હીન એવા ત્યાગને સમ્યક્ચારિત્ર રૂપે ગણી શકાય જ નહિ. મુનિઓનું સમ્યક્ચારિત્ર સર્વ સપાપ વ્યાપારોના જ્ઞાન તથા શ્રદ્ધાન પૂર્વકના, ત્યાગ રૂપ હોય છે. આ ચારિત્ર મૂલ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું કહેવાય છે. ૧૨૮ 21. સાધુના મૂલ ગુણ કયા અને ઉત્તર ગુણ ક્યા ? ઉત્તર ગુણોમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા આવે છે, કે જેનું વર્ણન અત્રે થઇ ગયું છે; જ્યારે મૂલ-ગુણો તરીકે પાંચ મહાવ્રતો ગણાય છે અને તેનું વર્ણન આજે કરવાનું રહે છે. સાધુઓનું મૂલ-ગુણ રૂપ જે સમ્યારિત્ર છે, તે પાંચ પ્રકારનું છે. મૂલ-ગુણ રૂપ એ ચારિત્રને પાંચ પ્રકારનું જે કહેવાય છે, તે વ્રતભેદના કારણે કહેવાય છે, ગુણ સ્વરૂપભેદના કારણે કહેવાતું નથી. 21. એ શું ? મહાવ્રતો પાંચ છે, માટે મૂલ-ગુણ રૂપ ચારિત્રને પાંચ પ્રકારનું કહેવામાં આવે છે. સાચા યતિઓ, એ પાંચેય મહાવ્રતોને ધરનારા હોય. મુનિઓ મહાવ્રત રૂપ જે મહાભાર, તેને ધારણ કરવામાં એક ધુરન્ધર હોય છે. મહાવ્રતોનો ભાર સામાન્ય કોટિનો નથી. મહાવ્રતોના મહાભારને વહવો, એ સામાન્ય આત્માઓથી શક્ય નથી. યતિધર્મમાં અનુરક્ત એવા પણ આત્માઓ, સંહનનાદિ દોષને કારણે, મહાવ્રતોના મહાભારને ધરવા માટે સમર્થ બની શકતા નથી. મહાવ્રતોના મહાભારને સ્વીકારવા માટે આત્માએ લાયક બનવું જોઇએ અને તેનું આરોપણ કરનાર ગીતાર્થ ગુરૂએ પણ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy