SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ – – – – – –– –– –– — — — — — પ્રાપ્ત કર્યા વગર છટ્ઠ ગુણસ્થાનક જીવને દેશોન પૂર્વક્રોડ વરસ સુધી રહી શકે છે અને ટકી શકે છે. સર્વવિરતિનો પરિણામ મનુષ્યોને જ પેદા થઇ શકે છે અને તે પણ સંખ્યાતા વરસના. આયુષ્યવાળા મનુષ્યોને જ થાય છે તે આઠ વર્ષની ઉમર પછી જ એ પરિણામ પંદા થઇ શકે છે માટે આઠ વરસ ન્યૂન કહેવાય છે. અસંખ્યાત વરસના આયુષ્યવાળા યુગલિક મનુષ્યોને માત્ર સુખ ભોગવવાનો જ કાળ હોવાથી ચોથા અવિરતિ ગુણસ્થાનકથી આગળનો પરિણામ આવી શકતો નથી. | દર મહિને પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોમાંથી. પાંચ ભરતા અને પાંચ ઐરાવત ક્ષેત્રના મનુષ્યોમાંથી એમ પંદર કર્મભૂમિના મનુષ્યોમાંથી કોઇને કોઇ જીવને સર્વવિરતિનો પરિણામ અવશ્ય પેદા થઇ શકે છે. સર્વવિરતિને પામેલા જીવોનો જગતમાં કોઇકાળે વિરહ હોતો નથી કારણકે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા માટે શ્રી તીર્થંકર પરમાત્માઓ હયાત હોય છે માટે વિરહ હોતો નથી જ્યારે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોને વિષે દશ કોટાકોટી સાગરોપમાં રૂપ અવસરપિણી કાળમાં માત્ર એક કોટાકોટી સાગરોપમ કાળમાં જ સર્વવિરતિવાળા જીવો હોય છે. બાકી હોતા નથી માટે વિરહકાળા હોય છે એમ કહેવાય છે. આ સર્વવિરતિને ટકાવવા-ખીલવવા અને પ્રમાદના વિચારોને સદંતર નાશ કરવા અપ્રમત્ત ભાવ પેદા કરવા માટે પાંચ મહાવ્રતનું પાલન-એની પચ્ચીશ ભાવનાઓનું પાલન-આઠ પ્રવચન માતાઓનું પાલન-દશ પ્રકારની સામાચારીનું પાલન-ચિંતન-મનન સતત ચાલુ જ હોય છે. એના કારણે એ જીવો એની જ ચિંતવના અને વિચારણામાં કાળ પસાર કરતા કરતા અપ્રમત્ત ભાવના સુખનો આસ્વાદ પામી શકે છે. એ સુખનો આસ્વાદ એવો ઉંચી કોટિનો હોય છે કે જે સુખનો અનુભવ એક વરસ સતત કરવામાં આવે તો
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy