________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
૧૨૫
__
_
__
કહેવાય છે. આ ગુણસ્થાનકમાં પ્રમાદનું સેવન જાણી બુઝીને જીવા કરે નહિ પણ સંજ્વલન કષાયનો ઉદય રહેલો હોવાથી કોઇવાર આવા સામાન્ય પ્રમાદના કારણે ચારિત્રમાં બળાપો પેદા કરાવી. અતિચાર લગાડે છે માટે આ ગુણસ્થાનકને પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય છે.
કેટલાક આચાર્યોના મતે આ ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. એ અંતર્મુહૂર્ત પછી સાતમા ગુણસ્થાનકને જીવ પામે છે પાછો એક અંતર્મુહૂર્તમાં છઠ્ઠા ગુણસ્થાનકને પામે આ રીતે અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકમાં જીવ ચઢ ઉતર કર્યા કરે છે તે આઠ વરસન્યૂન પૂર્વક્રોડ વરસ સુધી જીવને ચાલ્યા કરે છે. આ દેશોન પૂર્વક્રોડ વરસમાં સાતમા ગુણસ્થાનકનો બધો કાળ ભેગો કરીએ તો પણ એક અંતર્મુહૂર્ત જેટલો જ થાય છે. જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકનો કાળ દેશોનપૂર્વક્રોડ વરસમાં અંતર્મુહૂર્ત ન્યૂન જેટલો થાય છે. કારણકે સાતમાં ગુણસ્થાનની પ્રાપ્તિનું અંતર્મુહૂર્ત ખુબજ નાનું હોય છે અને છઠ્ઠા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત મોટું હોય છે. આમાં જ્ઞાની ભગવંતોએ દ્રષ્ટાંત આપેલું છે કે કોઈ જગ્યાએ હિંડોળો (હિંચકો) બાંધ્યો હોય અને તે મધ્યમાં હોય અને હિંચકા ખાનારો હોંશિયાર હોય. તો એક બાજુની દિવાલે હિંચકો અડાડી બીજી દિવાલે પણ હિંચકો અડાડે તેમાં દિવાલને અડે તો તે હિંચકો અડીને કેટલો કાળ રહે ? ક્ષણ, અને વચલો બીજી દિવાલે ન પહોંચે ત્યાં સુધી કેટલો કાળા થાય ? તેમાં એક દિવાલથી બીજી દિવાલે અડે-વારંવાર અડે અને એ કાળ ભેગો કરીએ તો ક્ષણ ક્ષણ વધે એ અંતર્મુહૂર્ત રૂપે થાય.
જ્યારે વચલો કાળ વધારતાં વધારતાં ભેગો કરીએ તો દેશોના પૂર્વક્રોડ વરસ થાય છે. આ રીતે ઉત્કૃષ્ટ કાળ જાણવો.
જ્યારે કેટલાક આચાર્યો કહે છે કે સાતમું ગુણસ્થાનક