SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પુણસ્થાનક ભાdl-3 - - - વિના આત્માનો સાચો વિકાસ સંભવિત જ નથી. કષાયોમાં રાચતા. આત્માઓ આત્મિક વિકાસને સાધી શકતા નથી. આત્મા ઉપર કષાયોનું પ્રભુત્વ જેવું-તેવું નથી. માન અને માયામાં રાચતા આત્માઓ, અક્રોધી અને નિર્લોભી હોવાનો દેખાવ કરી શકે એ શક્ય છે અને તેથી તેઓ ક્ષમાશીલ તથા ઉદાર તરીકેની નામનાને પામી શકે એય શક્ય છે; પરન્તુ એવી ક્ષમાશીલતા અને ઉદારતા આત્મિક વિકાસની સાધક બનતી નથી. દેખાવ માત્રથી કલ્યાણ નથી. અતિ માની આત્માઓ પણ માયાથી માનરહિત તરીકેનો દેખાવ કરી શકે છે, પણ એ કષાયોનો જય નથી. કષાયોનો જય સાધવાને માટે તો, બહુ જ વિવેકપૂર્વક આત્મનિરીક્ષણ કરતાં પણ શીખવું જોઇએ. છઠુ પ્રમત્ત સનcરતિ ગુણસ્થાનક બારેય પ્રકારની અવિરતિનો સર્વથા ત્યાગ એટલે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એને પોત પોતાના વિષયોમાં એટલે અનુકૂળ વિષયોમાં જોડવી અને પ્રતિકૂળ વિષયોથી પાછી ખસેડવી એ છે અવિરતિ અને તેને જીવંત રાખવા માટે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાચનો વધ કરવો એ બાર અવિરતિ કહેવાય છે. એ બારે પ્રકારની અવિરતિનો સર્વથા ત્યાગ-મનથી, વચનથી, કાયાથી પોતે સેવે નહિ કોઇની પાસે સેવરાવે નહિ અને જે કોઇ એને સેવતો હોય. એનેસારો માને નહિ. આ રીતે પાલન કરી જીવન જીવતો હોય છતાં પાંચ પ્રકારના પ્રમાદના ૩૭પ૦૦ વિકલ્પોમાંથી કોઇને કોઇ વિક્મનું આચરણ થઇ જાય એને જ્ઞાની ભગવંતોએ પ્રમાદ કહેલો છે. એવા પણ પ્રમાદના સેવનને પ્રમત્ત સર્વ વિરતિ ગુણસ્થાનક
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy