________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
યૌદ ગુણસ્થાનક ભાd-3
૧૦૭ – ભાવ શ્રાવકમાં શુશ્રુષા ચારિત્રધર્મનો રાગ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ તો અવશ્ય હોય છે. શ્રી જૈનશાસનમાં ભાવ શ્રાવકની શુશ્રુષાનો પણ ખાસ પ્રકાર વર્ણવાએલો છે. આમ તો શુશ્રુષાનો અર્થ થાય “સાંભળવાની ઇચ્છા' પણ શું સાંભળવાની ઇચ્છા અને તે ઇચ્છા પણ કેવી પ્રબળ, એ વાતેય સમજી લેવા જેવી છે. જીવ સમ્યગ્દશન પામ્યો. એટલે તત્ત્વાર્થ શ્રદ્ધાનના કારણને પામ્યો. આ કારણ એવું છે કે જો સામગ્રી મળે તો એ પોતાના કાર્યને નિપજાવ્યા વિના રહે નહિ.
સ. એ શું ?
મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમાદિથી જન્ય રૂચિ રૂપા આત્મપરિણામ વિશેષ, એને ઉપકારિઓ સમ્યક્ત્વ કહે છે અને તત્ત્વની શ્રદ્ધાને ઉપકારિઓ સમ્યક્ત્વનું કાર્ય કહે છે. સમ્યક્ત્વ હોય તો જ સાચું તત્ત્વશ્રદ્વાન હોઇ શકે અને જ્યાં જ્યાં સાચું તત્ત્વશ્રદ્વાન હોય ત્યાં ત્યાં સમ્યકત્વ અવશ્યમેવ હોય. આમ બન્ને વાક્યો કહી શકાય. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એમ પણકહેવાય છે કે-તત્ત્વાર્થ શ્રદ્વાન એ સમ્યક્ત્વ છે, કારણ કેસામગ્રીસંપન્ન અવસ્થામાં તત્ત્વાર્થશ્રદ્ધાન રૂપ કાર્ય, સમ્યક્ત્વરૂપો કારણના ચોગે અવશ્યભાવિ કાર્ય છે. તત્ત્વાર્થશ્રદ્ધાન એટલે ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ માવેલા જીવાદિ તત્ત્વભૂત પદાર્થોનું શ્રદ્વાન. આવી તત્ત્વરૂચિ જન્મે, એટલે આત્માને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્ત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થયા વિના રહે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્ત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થાય, એટલે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની ઇચ્છા પણ થાય જ : કારણ કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલું તત્ત્વસ્વરૂપ ધર્મશાસ્ત્રોમાં જ વર્ણવાએલું છે. સમ્યગ્દષ્ટિ આત્મા સબોધ મેળવવાને ખૂબ જ આતુર હોય.