________________
૯૪
ચૌદ પુણસ્થાનક ભાગ-3
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સર્વવિરતિના ગુણસ્થાનકને પામે છે. આથી જ આ શાસ્ત્રકાર પરમર્ષિએ છઠ્ઠી સદ્ધર્મ-વિંશિકામાં સમ્યગ્દર્શનનું વર્ણન કર્યા પછી, સાતમી વિંશિકામાં દાનનું અને આ આઠમી વિંશિકામાં શ્રી જિનપૂજનનું વર્ણન કર્યું, અને હવે પછીની નવમી વિંશિકામાં દેશવિરતિધર્મનું વર્ણન કર્યું છે.
વિરતિની પૂર્વભૂમિકા
સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓ ધર્મોપગ્રહદાનાદિને આચરનારા, સુન્દર ભાવથી પોતાના ચિત્તને શુદ્ધ બનાવનારા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનોનું શ્રવણ કરવામાં રતિવાળા બને છે. સામગ્રીનો સુયોગ હોય તો સમ્યકત્વ, એ ધમાંપગ્રહદાનાદિનું, ભાવદ્વારા થતી ચિત્તશુદ્ધિનું અને શ્રી જિનવચનના શ્રવણની રતિનું અવધ્ય કારણ છે. ગુણના અર્થી આત્માઓએ આ વસ્તુ પણ ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. દેશવિરતિ-ધર્મને અગર તો સર્વવિરતિ-ધર્મને પામવાને માટેની આ પૂર્વભૂમિકા છે. સમ્યગ્દર્શન ગુણને પામવાના યોગે ધર્મોપગ્રહદાનાદિથી યુક્ત બનેલો, શુદ્ધ ચિત્તવાળો બનેલો અને શ્રી જિનવચનના શ્રવણમાં રતિવાળો બનેલો પુણ્યાત્મા, પરમ શ્રાવકપણાને એટલે દ્રવ્યથી અને ભાવથી ઉત્તમ એવા દેશવિરતિપણાને પામે છે. ધર્મોપગ્રહદાન આદિનું આચરણ, ભાવથી ચિત્તની શુદ્ધિ અને શ્રી જિનવચનના શ્રવણની રતિ, એ ગુણો એવા છે કે એ ગુણો આત્માને વિરતિવાળો બનાવ્યા વિના રહે જ નહિ, સિવાય કે-આત્મા ગુણને હારી જાય અથવા તો એ આત્માને ગાઢ કર્મનું નડતર હોય !
ત્રણ પ્રક્ષરના ભાવ શ્રાવક