________________
શ્રી શ્રાવāતદીપિકા ]
६२७ ૩ ક્ષેત્રને એટલે ખેતર વગેરે અમુક પ્રમાણમાં રાખવાને નિયમ કરવો.
૪ વાસ્તુ એટલે ઘર હાટ અમુક પ્રમાણમાં રાખવાને નિયમ કરે.
પ રૂષ્ય એટલે રૂપાનાં ઘરેણુ વગેરે અમુક પ્રમાણમાં રાખવાનો નિયમ કરે.
૬ સોનાના દાગીના રાખવામાં નિયમ કરે.
૭ તાંબા પિત્તળ વગેરે ઘર સામાન તથા ફરનીચર વગેરેમાં નિયમ કર.
૮ નોકર ચાકર રાખવામાં સંખ્યાનો નિયમ કર.
૯ ગાય, ભેંસ, ઘડા વગેરે રાખવામાં સંખ્યાને નિયમ કરે.
આ વ્રતના પાંચ અતીચાર-૧ નિયમ ઉપરાંત ધન ધાન્ય થાય તે સ્ત્રી પુત્રાદિકનાં ઠરાવી પ્રમાણુ ઉપરાંત રાખે. ૨ ખેતર ઘર વગેરે નિયમથી વધારે રાખે અથવા એક બીજા સાથે ભેળવીને સંખ્યા સરખી કરે. ૩ રૂપું તથા સનું વગેરે પ્રમાણથી અધિક રાખે ૪ કુપિત એટલે ઘર વાખરો નિયમ ઉપરાંત રાખે. ૫ નેકર, ચાકર, ઢેર વગેરે પ્રમાણ ઉપરાંત રાખે.
પરિગ્રહ પરિમાણ વ્રતનું ફળ-અહીં સંતોષમય જીવન બનવાથી નિરાંતે ધર્મારાધન થઈ શકે. સુખમય જીવન ગુજારી શકાય. પરલેકમાં સ્વર્ગાદિના સુખ મળે.