SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ર [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતછે એમ સમજીને નિર્દોષ પ્રવૃત્તિ કરવી તે વિવેક કહેવાય. અથવા તત્વ નવ જ છે. અને તેમાં પણ જીવ તત્વ અને અજીવ તત્વ રેય છે, પાપ પુણ્ય આશ્રવ ને બંધ એ ચાર તત્વ હેય-છોડવા ગ્ય છે તથા સંવર નિજેર અને મેક્ષ એ ત્રણ તત્વ ઉપાદેય-આદરવા ગ્ય છે એમ સમજી જીવ અજીવને જાણે, પાપ વિગેરે ચાર તને છોડે અને સંવર વિગેરે ત્રણ તને આદર કરે, (ગ્રહણ કરે, સેવે) એ પ્રમાણે સેયને યપણે હેયને હેયપણે, અને ઉપાદેયને ઉપાદેયપણે અંગીકાર કરે (માને, જાણે) તે વિવેક કહેવાય. તથા ભયને (ખાવા લાયકને) આદર કરી અભક્ષ્યને વજે, ( ત્યાગ કરે) પેયને આદર કરી અપેયને (નહિં પીવા ગ્ય મદિરાદિકને) વર્ષે (ત્યાગ કરે) આવું જે વર્તન (વ્યાપાર) તે વિવેક કહેવાય. એટલે સારા નરસાની વહેંચણ કરીને નિર્દોષ પ્રવૃત્તિ કરવી, તે વિવેક કહેવાય. જે એવા પ્રકારને વિવેક હદયમાં જાગ્યે ન હોય તે સર્વ કળાઓનું જ્ઞાન મેળવેલું પણ શા કામનું? કારણ કે સર્વ વિદ્યા કળાએ ભણુને માટે પંડિત કહેવાતું હોય અને દારૂના બાટલા ચઢાવતે હોય તે એવા દારૂડીયાની પંડિતાઈ શું કામની? લોક તો ભદ્રક પરિશ્નામી હોવાથી એવા વિદ્વાનને માન આપી તેની પાસે શાસ્ત્રનું રહસ્ય સાંભળવા ઈચ્છતા હોય ને પંડિતજી પણ હાઈ ધોઈ ટીલાં ટપકાં કરી સુંદર વસ્ત્ર પહેરી લેક સભામાં શાસ્ત્રનાં મોટાં મોટાં વાકને ગૂઢાર્થ સમજાવતા હોય, વિવિધ તપશ્ચર્યનું મહાભ્ય વર્ણવતા (જણાવતા) હેય, રામ પાંડવાદિ
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy