________________
ફર્મગ્રંથ-૨ વિવેચન
બીજી રીતે મિથ્યાત્વના ૪ ભેદ :
(૧) પ્રરૂપણા મિથ્યાત્વ (૨) પ્રવર્તન મિથ્યાત્વ (૩) પરિણામ મિથ્યાત્વ (૪) પ્રદેશ મિથ્યાત્વ
૫
(૧) પ્રરૂપણા મિથ્યાત્વ : શ્રી જીનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલ (પ્રકાશીત કરેલ) ધર્મથી વિપરીતરીતે પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય.
(૨) પ્રવર્તન મિથ્યાત્વ : લૌકિક ને બદલે લોકોત્તર મિથ્યાત્વની કરણી કરવી કે કરાવવી તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે.
(૩) પરિણામ મિથ્યાત્વ : મનમાં જુઠ્ઠો હઠવાદ રાખે અને કેવળીભાષિત નવતત્ત્વના અર્થને યથાર્થરૂપે સદ્ગુણા ન કરે તે પરિણામ મિથ્યાત્વ કહેવાય છે. (૪) પ્રદેશ મિથ્યાત્વ : સત્તામાં રહેલ મિથ્યાત્વમોહનીયના કર્મદલિકોને ઉદયમાં લાવી ભોગવવા તે પ્રદેશ મિથ્યાત્વ કહેવાય છે.
૬ પ્રકારના જીવોમાથી પ્રરૂપણા મિથ્યાત્વ ચાર પ્રકારના જીવોમાં હોય છે. (૧) અભવ્ય (૨) દુર્ભાવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) દુર્લભબોધિભવ્ય
પ્રવર્તન મિથ્યાત્વ ૬ માંથી ૪ પ્રકારના જીવોમાં હોય છે (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) દુર્લભબોધિભવ્ય
પરિણામ મિથ્યાત્વ ૬ માંથી ૫ પ્રકારના જીવોમાં હોય છે. (૧) અભવ્ય (૨) દુર્વ્યવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) લઘુકર્મીભવ્ય (૫) દુર્લભબોધિભવ્ય
પ્રદેશ મિથ્યાત્વ : આ મિથ્યાત્વ ૬ એ પ્રકારના જીવોમાં હોય છે. (૧) અભવ્ય (૨) દુર્વ્યવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) જાતિભવ્ય (૫) લઘુકર્મી ભવ્ય(૬) દુર્લભબોધિ
ભવ્ય
બીજી રીતે મિથ્યાત્વના પાંચ પ્રકાર :
(૧) અભિગ્રહિક (૨) અનભિગ્રહિક (૩) આભિનિવેષિક (૪) સાંશયિક (૫) અનાભોગીક મિથ્યાત્વ
(૧) અભિગ્રહિક મિથ્યાત્વ : અભિગ્રહથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના કુદર્શનોમાંથી કોઈપણ એક દર્શનને જ શ્રેષ્ઠ (સાચું) માનવાનો આગ્રહ રાખે તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વમાં (અભવ્ય-દુર્ભવ્ય ભારેકર્મીભવ્ય તથા દુર્લભબોધિ) આ ચાર પ્રકારના જીવો ગણી શકાય.
(૨) અનભિગ્રહિક મિથ્યાત્વ :- સમજણના અભાવે મધ્યસ્થપણાના કારણથી જગતમાં રહેલા સર્વદર્શનોને કોઈપણ જાતની પકકડ વિના સારા માને તે