________________
તૃતીય ઉદ્યોત : ૪૦, ૪૧
૨૫૧
‘‘(કુમારસંભવ ૧૭/૧૯). (સખીએ ઉમાના) બંને ચરણો (અળતાથી) રંગીને પરિહાસપૂર્વક આશીર્વાદ આપ્યો, ‘‘આના વડે તું પતિના માથે રહેલી ચંદ્રકલાને સ્પર્શ કરજે.’' ત્યારે (પાર્વતીએ) કંઈ પણ બોલ્યા વિના માળા-વડે મારી.’’ અથવા તો ‘‘ઊંચેથી ફૂલ આપતા પ્રિયતમ દ્વારા વિપક્ષ (શોકચ) નું નામ લેવાતાં, માનિનીએ કશું કહ્યું નહીં. આંખમાં આંસુ સાથે પગથી ભોય ખોતરવા લાગી.’’ (કિરાત. ૮)
અહીં (ક્રમશઃ)‘નિર્વચનંનપાન' અને 7 િિશ્ચતૂર્વે', આ પ્રતિષેધદ્વારા, વ્યંગ્ય અર્થ (પહેલા શ્લોકમાં લજ્જા, અવહિત્થા, હર્ષ, ઇર્ષ્યા, સૌભાગ્ય, અભિમાન વગેરે અને બીજા શ્લોકમાં અતિશયક્રોધ)ની ઉક્તિથી, કાંઈક વિષયી કરાયો છે, તેથી (તેમાં) ગુણીભાવ જ શોભે છે. જ્યારે વક્રોક્તિ વગર વ્યંગ્ય અર્થ માત્ર તાત્પર્યથી દેખાયછે ત્યારે તેનું (વ્યંગ્યનું) પ્રાધાન્ય હોય છે. જેમ કે ‘વં વિનિ ટેવા ઇત્યાદિમાં. વળી અહીં (આ કારિકાની વૃત્તિના બે શ્લોકોમાં) ઉક્તિ વૈચિત્ર્યથી જ (વ્યંગ્યની પ્રતીતિ) છે. માટે વાચ્યનું પણ પ્રાધાન્ય (છે). માટે અહીં અનુરણનરૂપ ધ્વનિ ( = સંલક્ષ્ય મયંત્ર્યધ્વનિ) ન કહેવો.
કારિકા-૪૧ અને વૃત્તિ
‘“આ ગુણીભૂતવ્યંગ્ય (નામનો) પ્રકાર પણ રસાદિ તાત્પર્યની દષ્ટિએ વિચાર કરતાં ફરી ધ્વનિરૂપતાને ધારણ કરે છે.’'
કાવ્યનો આ ‘ગુણીભૂતવ્યંગ્ય' પ્રકાર પણ રસભાવ વગેરે તાત્પર્યના પર્યાલોચનથી ધ્વનિ જ બની જાય છે. જેમ કે ઉપર ઉદાહત બંને શ્લોકોમાં. (પદ દૃષ્ટિથી ગુણીભૂતવ્યંગ્યનું પર્યવસાન, રસનું પ્રાધાન્ય હોવાથી, ધ્વનિ કાવ્યમાં જ છે. અને (અન્ય ઉદાહરણ) જેમ કે
‘“હે સુભગ ! તારી પ્રાણેશ્વરીના આ (સુરતકાલીન) જધનવસ્ત્રથી આ રાધાનાં ખરેલાં આંસુને લૂછી રહેલા તારે માટે એને પ્રસન્ન કરવી મુશ્કેલ છે. સ્ત્રીનું ચિત્ત કઠોર હોય છે. માટે આ ઉપચારો નકામા છે, રહેવા દે' આ પ્રમાણે (રાધા દ્વારા) મનામણાં વખતે કહેવાયેલા હરિ (કૃષ્ણ) તમારું કલ્યાણ કરે.’’
આમ છે એટલે ‘ન્યારો ાયમેવ' (ધ્ય. ૩૧૬ની વૃત્તિનો શ્લોક) અર્થાત્ ‘મારે શત્રુઓ હોય એ અપમાન છે’ ઇત્યાદિ શ્લોકમાં નિર્દિષ્ટ પદોના વ્યંગ્યવિશિષ્ટ વાચ્યના પ્રતિપાદક (એ દૃષ્ટિએ ‘ગુણીભૂતવ્યંગ્ય') હોવા છતાં પણ (આખા) શ્લોકના પ્રધાન વ્યંગ્ય (વીર) રસની દૃષ્ટિથી (તેને) ધ્વનિ (વ્યંજત્વ) કહેલ છે. એ પદોમાં ‘અર્થાન્તરસંક્રમિત' વાચ્યધ્વનિનો ભ્રમ નહીં કરવો જોઈએ. તેમાં તો વાચ્ય વિવક્ષિત છે તેથી. તેમાં વાચ્યનું ‘વ્યંગ્યવિશિષ્ટત્વ' દેખાય છે નહીં કે વ્યંગ્યરૂપમાં પરિણતત્વ. (અર્થાત્ વ્યંગ્યરૂપ પરિણામ નહીં. ) તેમાં (ન્યજ્ઞાો ાયમેવ ઈ. શ્લોકમાં) વાકય ધ્વનિરૂપ છે અને પદ ‘ગુણીભૂતવ્યંગ્ય' છે.