________________
તૃતીય ઉદ્યોત : ૧૬
૧૮૫
પ્રાકૃતમાં ‘ક’ પ્રયોગ કર્યો હોય ત્યાં તદ્વિતમાં પણ ભંજકત્વ દેખાય છે જ. જેમકે અવજ્ઞાતિશયમાં ‘’ પ્રત્યય. (ઈર્ષ્યા વિપ્રલંભનું વ્યંજક) છે. વૃત્તિને અનુરૂપ (સમાસોની) યોજના થતાં સમાસોનું (વ્યંજત્વ હોય છે. તેનાં ઉદા. આપ્યાં નથી.) નિપાતોના વ્યંજત્વ (નું ઉદાહરણ) જેમકે- “આ એકી સાથે જ પ્રિયા સાથેનો મારો અસહ્ય વિયોગ આવી પડ્યો છે. અને નવાં વાદળો ચઢી આવવાથી દિવસ પણ તડકા વિનાના, નાના અને રમ્ય થવા લાગ્યા’’ (હવે આ બધું કેવી રીતે સહેવાશે ?)
અહી. ‘ચ’ શબ્દ (ભંજક છે)
અથવા (નિપાતના વ્યંજત્વનું બીજું ઉદા.) જેમકે “આંગળીઓથી વારંવાર ઢંકાયેલા અધરોષ્ઠવાળું, મનાઈના શબ્દોની વ્યાકુળતાથી શોભતું, ખભા તરફ વળેલું સુંદર પાંપણોવાળીનું મુખ જેમ તેમ કરીને ઊંચું તો કર્યું પણ ચૂમ્યું નહીં.’’
અહી ‘તુ’ શબ્દ (પશ્ચાત્તાપ વ્યંજક અને એ ચુંબનમાત્રથી કૃતકૃત્યતાનો સૂચક હોવાથી શૃંગાર રસને વ્યંજિત કરે છે)
નિપાતો (વાચક નહિ પણ) દ્યોતક (=વ્યંજક) હોય છે એ પ્રસિદ્ધ છે. અહીં રસની દૃષ્ટિથી (ફરીથી) કહ્યું છે એ સમજવું જોઈએ.
૧૬.૩ ઉપસર્ગોના (વ્યંજત્વનું ઉદા.) જેમકે
‘‘પોપટવાળી બખોલોમાંથી પડેલા નીવારના દાણા વૃક્ષોની નીચે વેરાયેલા છે. ક્યાંક, ચીકણા પથ્થરો એના વડે ઇંગુદીનાં ફળ ભાંગ્યાં છે એવું સૂચવે છે. વિશ્વાસ બેઠો હોવાથી, અવાજ સાંભળવા છતાં, મૃગલાઓની ગતિમાં કોઈ ફેર પડતો નથી, જલાશયનો માર્ગ, વલ્કુલમાંથી ટપકતાં પાણીથી રેખાંકિત થયેલો છે.’’
બે-ત્રણ ઉપસર્ગોનો જે એક પદમાં પ્રયોગ થાય છે તે પણ રસની અભિવ્યકિતને અનુકૂળ હોય તો જ નિર્દોષ ગણાય છે. જેમકે
‘ઉત્તરીયની જેમ, અંધકાર વિગલિત થઈ જતાં, એકદમ જન્તુઓને આવરણથી રહિત જોઈને.'' વગેરેમાં. અથવા જેમકે ‘મનુષ્યના વ્યાપારથી સમુપાચરણ કરનારાને.’’ વગેરેમાં. નિપાતોનું પણ એમ જ. (અર્થાત્ બે-ત્રણ નિપાતોનો એકી સાથે પ્રયોગ કરવામાં આવે ત્યારે રસવ્યકિતને અનુરૂપ હોવાથી કોઈ દોષ નથી) જેમકે- “અહો આશ્ચર્ય છે કે તમે સ્પૃહણીય પરાક્રમવાળા છો.’’ ઇત્યાદિમાં. અથવા (અનેક નિપાતોનો રસાનુગુણ સહ પ્રયોગનું બીજું ઉદાહરણ) જેમકે