________________
દ્વિતીય ઉદ્યોતઃ ૩૧,૩૨, ૩૩)
(પોતાના પ્રેમીને મળવાનું સ્થાન અને સમય નક્કી કરીને સમયે નિયત સ્થાન પર પહોંચી ન શકનાર નાયિકા) વેતસ લતાકુંજમાંથી ઊડતાં પંખીઓનો કોલાહલ સાંભળીને ઘરકામમાં રોકાયેલી વધૂનાં ગાત્રો શિથિલ થઈ ગયાં.”
આ પ્રકારનો વિષય ઘણે ભાગે ગુણીભૂત વ્યંગ્યનાં ઉદાહરણોમાં નિવામાં આવશે.
પણ જ્યાં પ્રકરણ વગેરેની પ્રતીતિથી વિશેષ અર્થનું નિર્ધારણ કરીને વાચ્યાર્થ ફરી પાછો પ્રતીયમાન (વ્યંગ્ય) અર્થના અંગરૂપે ભાસતો હોય ત્યાં તે સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનો વિષય (માર્ગ) હોય છે. જેમ કે
હે ખેડૂતની (પુત્ર) વધૂ! ખરેલાં ફૂલ વીણી લે. પારિજાત (ની ડાળી) હલાવ નહીં. જોરથી થતો તારાં કંકણનો (વલય-બયાનો) અવાજ સસરાએ સાંભળી લીધો છે.”
અહીં કોઈ જાર સાથે (ઉપપતિ સાથે) રમણ કરતી સખીને બહારથી કંકણનો અવાજ સાંભળીને સખી ચેતવે છે. વાચ્યાર્થીની પ્રતિપત્તિ માટે આની અપેક્ષા રહે છે. વાચ્યાર્થ સમજાયા પછી તેના (સખીના પરપુરુષોપભોગરૂપ) અવિનયને ઢાંકવાના તાત્પર્યથી કથિત હોવાથી પછી (અવિનય પ્રચ્છાદનરૂપ) વ્યંગ્યનું અંગ જ થઈ જાય છે માટે તે અનુરણન વ્યંગ્યધ્વનિમાં (=સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં) સમાય છે.
કારિકા-૩૨ અને વૃત્તિ : આ રીતે વિવક્ષિતવાચ્ય (અભિધામૂલ) ધ્વનિનો અને તેના આભાસનો વિવેક-ભેદ-સ્પષ્ટ કરી સાથે સાથે અવિવક્ષિતવાચ્ય ( લક્ષણામૂલ) ધ્વનિના આભાસનો પણ (ધ્વનિ સાથેનો) ભેદ સ્પષ્ટ કરવાને કહે છે. (લક્ષણા મૂલ ધ્વનિનું ગુણીભૂત વ્યંગ્યત્વ)
અવ્યુત્પત્તિ (= અવિદ્વત્તા) કે અશક્તિને કારણે જે લાક્ષણિક કે ગૌણ શબ્દનો (વનસ્ તે વ્ર્સ= બાધિત અર્થવાળા શબ્દનો) પ્રયોગ હોય (નિવડ) તેને પણ વિદ્વાનોએ ધ્વનિનો વિષય નહીં જાણવો જોઈએ.”
બાધિત અર્થવાળા (ખલતિ) શબ્દ એટલે લક્ષણાથી (૩૫રિતચ) વપરાયેલા શબ્દ. તે વ્યુત્પત્તિના કે શક્તિના અભાવે વપરાયા હોય ત્યાં ધ્વનિનો વિષય થતા નથી. કેમ કે
કારિકા-૩૩ અને વૃત્તિ: “(ધ્વનિના) બધા ભેદોમાં પ્રધાનભૂત ધ્વનિની, (વ્યંગ્યઅર્થની) જે ફુટ રૂપથી પ્રતીતિ થાય છે તે ધ્વનિનું પૂર્ણ લક્ષણ છે આ વિષયનાં તો ઉદાહરણો આપ્યાં જ છે. આ પ્રમાણે શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્યવિરચિત “ધ્વન્યાલોક'નો
બીજો ઉદ્યોત પૂરો થયો.