________________
દ્વિતીય ઉદ્યોતઃ ૧૯
૧૧૯ (પૂર્વપક્ષી) નરસિંહ (નામિલિત સ્વરૂપ)ની જેમ આશ્લેષ અને વ્યતિરેકના મેળથી (સંગમથી) બનેલો બીજો જ અલંકાર છે. (લેષ વ્યતિરેકરૂપ સંકર અલંકાર છે.)
(ઉત્તર પક્ષી) આમ કહેવું ઠીક નથી. કેમકે તેની (એકાઢયાનુપ્રવેશરૂપ સંકરની) સ્થિતિ પ્રકારાન્તરથી- અન્ય પ્રકારથી-થાય છે. જ્યાં શ્લેષ અલંકારના વિષયભૂત (શ્લિષ્ટ) શબ્દમાં જ પ્રકારાન્તરથી વ્યતિરેક (અલંકાર)ની પ્રતીતિ થાય છે તે (શ્લેષ અને વ્યતિરેકના એકાશ્રયાનુપ્રવેશ સંકર)નો વિષય થાય છે. જેમકે
તે દેવ તો નામ માત્રથી (સ-ર) છે અને આ (રાજા) શ્રેષ્ઠ અશ્વસમૂહને કારણે ‘સર’ છે.' વગેરે ઉદાહરણમાં. (શ્લેષ અને વ્યતિરેક બંને સત્તર આ એક જ પદમાં રહેલા છે તેથી અહીં તો શ્લેષ અને વ્યતિરેકનો ‘એકાશ્રયાનુપ્રવેશસંકર અલંકાર થઈ જાય છે.)
(એનાથી પ્રતિકૂળ) અહીં (રજીત્વમ્ છે. શ્લોકમાં) તો ભલેષનો વિષય અન્ય શબ્દ (- વગેરે) છે અને વ્યતિરેકનો વિષય અન્ય શબ્દ (ગોશો) છે. (એથી અહીં એકાશ્રય-અનુપ્રવેશ-સંકર અલંકાર થઈ શકે નહીં.).
(પૂર્વપક્ષી સંકરવાદીઓવતીથી ઉત્તરપક્ષી શંકા ઉઠાવે છે.) જો આ પ્રકારના વિષયમાં અલંકારાન્તરની કલ્પના કરી શકાશે. (યદ્યપિ “શ્લેષ’ અને ‘વ્યતિરેક ના વિષય ભિન્ન છે તે એક વાક્યમાં રહેલ હોવાથી “શ્લેષ અને વ્યતિરેક’નો વિષય શબ્દને ન માનતાં, તે વાક્યને માનવામાં આવે ત્યારે તો તે બંનેનો એક વાક્ય રૂપ એક આશ્રયમાં અનુપ્રવેશ રૂપી સંકર બની જાય છે.)
(એ શંકાનું ઉત્તરપક્ષી સમાધાન કરે છે) તો સંસૃષ્ટિ અલંકારનો વિષયાપહાર જ થઈ જશે. (અર્થાત્ સંસૃષ્ટિ માટે અવકાશ જ નહીં રહે.) (કેમકે એકવાક્યાશ્રયની સીમા તો બહુ વિસ્તૃત છે. “સંસૃષ્ટિનાં બધાં ઉદાહરણ આ પ્રકારનાં
સંકર ની સીમામાં આવી જશે. એથી સર્વ ઈ. શ્લોકમાં સંકર અલંકાર માનવો યોગ્ય નથી, “સંસૃષ્ટિ' અલંકાર જ માનવો જોઈએ.)
(પૂર્વ પક્ષી) “લેષ' દ્વારા જ અહીં ‘વ્યતિરેક’ની સિદ્ધિ થાય છે, એથી આ સંસૃષ્ટિ' અલંકારનો વિષય નથી.
(ઉત્તર પક્ષી) એમ જો તમે કહેતા હો, એ પણ ઠીક નથી. કેમકે “વ્યતિરેક’ પ્રકારાન્તરથી પણ જોવા મળે છે. (ઉપમા ગર્ભ ન હોય, ‘ઉપમા'ના કથન વિના મળતો હોય તેવો ‘વ્યતિરેક અલંકાર જોવા મળે છે.) જેમકે
અખિલ વિશ્વના પ્રકાશક સૂર્યદેવની દીતિરૂપ લોકોત્તર બત્તી, જે કલ્પાંત સમયના પર્વતોને પણ તોડી ફોડી નાખનાર નિર વેગથી વહેતા પવનથી પણ બુઝાઈ નથી જતી, જે દિવસે પણ અત્યંત ઉજજવળ પ્રકાશ આપે છે, જે અંધકારરૂપ કાજળથી સર્વથા રહિત છે, જે પતંગ (પતંગી૪)થી બુઝાતી નથી બલકે પતંગ (સૂર્ય)થી ઉત્પન્ન થાય છે. તે અનન્ય બત્તી આપણને સૌને સુખી કરો.