________________
ભયે ભાણે
૩૧૫. તે અંગે છ સાત દેહરા સંભળાવીને હવે આ વ્યાખ્યાન. પુરૂં કરૂં છું. મેતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી,
હીરાતણ શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણેથી ઓપતા ભાગ્યા મરણને જોઈને,
જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કેઈન–૧.
મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા,
કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને–૨:
દશ આંગળીમાં માંગળિક મુદ્રા જડિત મણિયથી
જે પરમ પ્રેમે પે'રતા પચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છેડી ચાલિયા મુખ ધોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને–૩ઃ
મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતાં તે પરે,
કાપેલ રાખી કાતરા હરકેઈના હૈયા હરે, એ સાંકડીમાં આવ્યા છટકયા તજી સૌ સેઈને, - જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને–૪ છ ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા,
બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યાં; એ ચતુર ચકી ચાલિયા હતા નહોતા હેઈને,
જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને–પ