________________
રુમી રાજાનું પતન શ્રેણિકની હરોળમાં બેસાય? દાંતસળીથી પરીક્ષા –
પરંતુ આ પૂછતાં પહેલાં જરા એટલું વિચારજો કે એક તે તમે કેની હરોળમાં બેસવા માગે છે? શાયિક સમકિતના ધણુ અને પ્રભુએ સિકકો મારેલી જવલંત ધર્મ શ્રદ્ધાવાળા અને તીર્થકરના જીવ શ્રેણિક-કૃષ્ણ મહારાજની હરળમાં બેસી વાત કરે છે ? તમારા દેદાર તે તપાસ કે તમારું હૈયું કેવું છે અને એ ઉચ્ચ આત્માઓનું કેવું ? તમારું હૃદય કોના પક્ષમાં ઢળે છે, સંસારના? કે જિનભક્તિ-જિનવચનના પક્ષમાં? શું જિનશાસન મળ્યા પર જગતની મોટી સમૃદ્ધિ-પરિવાર અસાર તુચ્છ લાગે છે ખરાં ? કે નાનકડી દાંત ખેતરવાની સારી સળી પણ સારભૂત લાગે છે? એની ખાતર પણ જરૂર પડ્યે ગુસ્સો કરવા, વિહ્વળ થવા, અને મનમાં એજ રમાડ્યા કરવા તૈયાર ખરા ? સારભૂત શું અને અસારભૂત શું લાગે છે? કયું ગુમાવતાં હૈયું દુભાય છે? શાસનનું કે સંસારનું? આત્મહિતનું કે કાયાહિતનું?
શ્રેણિકમાં ધર્મશ્રદ્ધા ઉપરાંત કેટકેટલું?
બીજું એ તપાસે કે શ્રેણિક કૃષ્ણ મહારાજ વ્રતપચ્ચકખાણરૂપી ધર્મ-આરાધન નહોતા કરી શક્તા, પરંતુ બીજી બાજુ ધર્મ-આરાધના કેવી કેવી કરતા હતા? એની ખાતર કે ભેગ દેતા હતા? શું એ વિના જ એ કેરી એકલી ધર્મશ્રદ્ધા રાખી બેઠા હતા?