SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ મંગલાચરણ માર્ગમાં પહેલું જ્ઞાન છે અને પછી દયા અથવા ક્રિયા છે. કિયાની સાથે જ્ઞાન હોય તો અત્યંતર દોષો ટકી શકે નહીં. આજે તપ કરનારને જે ક્રોધ આવી જાય છે, અને ક્રિયા કરનારા નિંદક બને છે, તેનું કારણ એ જ છે કે, ત્યાં અંદરની જ્ઞાન દશાનો અભાવ છે. અંદરની જ્ઞાન દશા જાગૃત હોય તો તપમાં અપૂર્વ સમતા રહે. ક્રિયામાં અપૂર્વ વિદ્યાસ પ્રગટે અને કદાચ દૃષ્ટિ જાય તો પણ પોતાના દોષો ઉપર જાય. માટેજ જ્ઞાનપૂર્વકની કિયા હોય તો જીવનો વિકાસ ખૂબ ઝડપી થાય છે. આ બધા વિવેચનના સારરૂપે ભગવાન ભદ્રબાહુસ્વામિએ ફરમાવ્યું છે કે : सक्सेसिपी नयाणं, बहुविह वत्तव्वयं णिसामित्ता । तं सव्वणय विशुद्धं, जं चरण गुणठिओ साहू । વ્યવહાર, નિશ્ચય વગેરે સર્વ નયોનાં બહુવિધ પ્રકારનાં વક્તવ્યોને સાંભળીને કોઈ પણ નયના એકાંતવાદમાં ન તણાતાં જે જ્ઞાન અને ચારિત્રમાં સ્થિત બનેલો સાધુ છે, તે જ સર્વનય વિશુદ્ધ છે, અથવા સર્વનયોના પક્ષથી જે પક્ષીતિક્રાંત બનેલો છે અને સ્યાદ્વાદની શૈલીને જ અનુસરનારો છે, તે જ સર્વનય વિશુદ્ધ છે. જ્ઞાન અને ક્રિયા બન્નેનો સમ્મિલિત આસ્વાદ કોઈ અનોખો હોય જૈન માર્ગમાં એકાંત જ્ઞાનવાદી કે એકાંત ક્રિયાવાદીને
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy