SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૫૭ મિથ્યા દૃષ્ટિ કહ્યા છે, જ્યારે બન્નેના સુયોગથી જે મોક્ષ માનતા હોય તેવા અનેકાંતવાદીને સમ્યગદૃષ્ટિ કહ્યા છે. જ્ઞાનવાદી ક્રિયાને ઉત્થાપે અને ક્રિયાવાદી જ્ઞાનને ઉત્થાપે તે જૈન દર્શનને માન્ય નથી, પણ જ્ઞાન અને ક્રિયા બન્નેના સુમેળને સાધે તે સમ્યગદૃષ્ટિ છે. આંધળો અને પાંગળો બન્ને ઝગડી પડે તો બેઉ રખડે અને સુમેળ કરી લે તો બેઉ અચી જાય. તેમ જ્ઞાન વગરની ક્રિયા આંધળી છે, અને ક્રિયા -વગરનું જ્ઞાન પાંગળું છે. પણ અન્ને વચ્ચે સુમેળ સધાય તો સળગતા સંસારરૂપી દાવાનલમાંથી આત્મા ખચી જાય છે. જ્યારે આ પડતા કાળમાં મનુષ્યો જ્ઞાનમાં જરાક રસ લેતા થયા એટલે ક્રિયા મૂકી દે છે, અને બકવાદ એવો કરતા થઈ જાય છે કે, આવી જડ ક્રિયાઓ તો જીવે અનતીવાર કરી.” અને જેઓ ક્રિયામાં રસ લેતા હોય તેઓ જ્ઞાન મૂકી દે છે, પણ તેમને એટલુંએ ભાન રહેતું નથી કે, દૂધ અને સાકરના સમ્મિલિત આસ્વાદની જેમ જ્ઞાન અને ક્રિયાનો સમ્મિલિત આસ્વાદ કોઈ અનોખો હોય છે, અને તેવો આસ્વાદ કોઈ મહાભાગ્યવાન હોય તેજ માણી શકે. જ્ઞાન દ્વીપકની જેમ સ્વઆત્મા અને પરદ્રવ્યોને પ્રકાશિત કરનાર હોવાથી, જ્ઞાન સ્વપરપ્રકાશક છે, તો સવર રોધક છે, એટલે ખંધાતા કર્માનું નિરોધ કરનાર છે, જ્યારે તપ શોધક છે એટલે તપ વડે સત્તામાં રહેલાં કર્મોની નિરા થતી હોવાથી તે આત્માની શુદ્ધિ કરનાર છે. આ સમ્યગજ્ઞાન, સવર્ અને તપ ત્રણેના સમાયોગને જિનશાસનમાં મોક્ષ કહ્યો છે.
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy