SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ પપ નિશ્ચયના લક્ષે વ્યવહાર હોય એટલે બેડો પાર ચોથે ગુણઠાણે સમ્યક્ત્વને અનુરૂપ જિનપૂજા, ગુરૂ ભગવંતોની વૈયાવચ્ચ, તીર્થયાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સત્સંગ, જિનવાણીનું શ્રવણ વગેરે દરેક કરણ કરવાની હોય. પાંચમે દેશવિરતિ ગુણઠાણે સભ્યત્વસહિત શ્રાવકના બારવ્રત સામાયિક, પ્રતિકમણ, વ્રત, પચ્ચકખાણ અને ત્યાર પછીના આગળના ગુણઠાણે સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરવાપૂર્વક પંચ મહાવ્રતાદિનું પાલન, સમગ્ર સાધ્વાચારનું પાલન, ત્યાર પછીના પણ આગળ આગળના ગુણસ્થાનકોને અનુરૂપ ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન, ક્ષપકશ્રેણી વગેરે દરેક ભૂમિકાઓ પાર કરીને, જીવ વિકાસની ચરમ ભૂમિકાએ પહોંચે છે. નિશ્ચયના લશે અને મોક્ષના ધ્યેયપૂર્વકનો સવ્યવહાર હોય તો જીવ જરૂર વિકાસની ચરમ ભૂમિકાએ પહોંચી જાય છે. અનંતવાર વ્યવહાર કર્યો છતાં જીવ ઘાંચીના બળદિયાની માફક જ્યાં નો ત્યાંજ રહ્યો. તેનું કારણ એજ છે કે, નિજ સ્વરૂપનું લક્ષ અને મોક્ષનું ધ્યેય રાખ્યા વિના માત્ર કીર્તિન અને મનાવવા પૂજાવવાના નબળા ધ્યેયથી ક્રિયાઓ કરી. તેમાં વિકાસને માગે આગળ ન વધી શક્યો. જીવને પોતાના આત્યંતર દોષને કારણે વિકાસ જ્યાં રૂંધાયો હોય, ત્યાં સદ્વ્યવહાર, કિયા, અનુષ્ઠાનાદિને દોષ દેવો એ તો પખાલીને વાંકે પાડાને ડામ દેવા બરાબર છે. એટલેજ કિયા સાથે જ્ઞાનની પણ શાસ્ત્રકાર મહાપુરૂષોએ ઉપયોગિતા સ્વીકારેલી જ છે. શાસ્ત્રકારોએ ત્યાં સુધીના વિધાનો કર્યા છે કે, “ ના તો કયા”
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy