________________
મંગલાચરણ
૪૫
પતાવટમાં કૂડ-કપટનું સેવન કર્યું તેમાં તો તે જીવ મૃત્યુને પામીને બોકડાના ભાવમાં ઉત્પન્ન થયો. બોકડાના ભવમાંથી મૃત્યુને પામીને તે જીવ પહેલી નરકે ગયો. માટે પાપ શરૂઆતમાં અલ્પ દેખાય અને આપણને એમ પણ લાગે કે મેં એવાં ક્યાં મોટાં પાપનું સેવન કરી નાખ્યું છે ! પણ તેટલા પાપની પણ જે આલોચના ન કરવામાં આવે તો શરૂઆતમાં નાનું સરખું જણાતું પણ પાપ વિપાકમાં ઘણુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. વડલાનું બી બહુ નાનું હોય છે પણ તેમાંથી જ ઘેઘૂર વડલો નિર્માણ થાય છે, તેમ શરૂઆતમાં નાનું સરખું ગણાતું પાપ પણ પરિણામે એવું ફલે ને કુલે કે છે એક ઘેઘૂર વડલાનું સ્વરૂપ ધારણ કરી લે છે. માટે જ આપણામાં પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને આલોચનાના વિધાનો કરાએલા છે. તેનાથીજ લાગેલા દોષોની શુદ્ધિ થાય છે. તીવ્ર પરિણામથી આચરાએલું એક નાનકડું પાપ પણ વિપાકમાં ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. પાપ કર્મની નિન્દા અને ગહ હોય
પણ બચાવ ન હોય બંધક મુનીને જીવે ભવાંતરમાં એક કોઠીમડની છાલ ઉતારી હતી, તેમાં રસ પોષાવવાથી બંધ એવો પડી ગયો કે, બંધક મુનીના ભવમાં તેમના જીવતા શરીરની ખાલ ઉતારવામાં આવી. માટે મારાથી કયું એવું મોટું પાપ સેવાઈ ગયું છે? હવે આવા પાપ તો આપણુથી હાલતાં સેવાઈ જાય. ગમે તેમ તો આપણે ગૃહસ્થી રહ્યા, આપણે કાંઈ સાધુ થઈ ગયા