________________
મંગલાચરણ
છે. તે પાપ એવા છે કે જીવ જે પોતામાં પોતે સાવધાન ન રહે તો ક્યારેક તિર્યંચગતિના આયુષ્યનો બંધ પડી જાય. પ્રતિ સમયે જે પોતામાં સાવધાન હોય તેના જેવો તે દુનિયામાં કોઈ મહાન નથી, અને પોતામાં બેભાન હોય તો તેના જેવો કોઈ નાદાન નથી. પાપકર્મોનું વિપાકમાં અતિ વિરાટ સ્વરૂપ
પાપના યોગે અર્થાર્જનના માર્ગમાં સિદ્ધિ દેખાય, પણ એ સિદ્ધિ કોઈ કામની નથી. પાપને માર્ગેથી કસાઈઓ પણ ચાલુ જમાનામાં ઘણું પૈસા મેળવી લે છે, અને તે પૈસાથી વર્તમાનમાં તેઓ સુખને પણ ભોગવતા દેખાય છે. પણ તેમના ભવિષ્યનો જે આપણે વિચાર કરીએ તો આપણને રડવું આવી જશે. અત્યારે કદાચ પાપાનુબંધી પુણ્યના ઉદયે પાપ દબાઈ રહે પણ પુણ્યની અવધિ પુરી થતાં પાપ જ્યારે ઉદયમાં આવશે, ત્યારે એક ગણું જે પાપ બાંધ્યું હશે, તે વિપાકમાં ઓછામાં ઓછું દસ ગણું ભોગવવું પડશે. અને તીવ્ર પરિણામથી બાંધેલું હશે તો કોટાકોટી ઘણું ભોગવવું પડશે. દીપક બુઝાવાના ટાઈમે જરા પ્રકાશ વધારે ફેકે છે, પણ અંતે ઓલવાઈ જતાં નિબિડ અંધકાર છવાઈ જાય છે. પાપને આચરનારા મનુષ્યો પૈસાના પ્રભાવે બે દિ જોર મારી લે, પણ અંતે એવા ફેંકાઈ જવાના છે કે, ફરી પાછો અનંતકાળે પત્તો નહીં લાગે. અત્રેની પાટપરથી વચમાં નાગદત્ત શેઠનું દૃષ્ટાંત સંભળાવેલું. હતું તેમાં તેના પિતાએ રૂ ના વ્યાપારમાં કોઈ ચંડાલ સાથેના સોદાની