________________
મંગલાચરણ
૨૧ - ~~
~ નાખતા હોય છે કે, “શું કામ જલસા ન કરે ? હમણાં હમણાં બ્લેક (Black) માં ખૂબ કમાણે છે. એટલે અનીતિનું ધન ગમે તેટલું મનુષ્ય પાસે હોય, પણ તે જીવનમાં શાન્તિથી ભોગવી ન શકે. અને સન્માર્ગે વાપરી પણ ન
શકે.
વાણિજ્યના ક્ષેત્રમાં મિલાવટ એ મહાપાપ
કુડાતોલ કુડામાપથી વ્યાપાર કરવું, વ્યાપારમાં ભેળસેળ કરવી, ભાવમાં ઘણું જ વધારે પડતું કહેવું, વ્યાપાર કાળાં મરીનો હોય પણ અંદર પોપૈયાના બી ભેળવી દે, ભારોભાર અંદર વેજીટેબલનું મિશ્રણ કરેલું હોય અને કહે પ્યોર ચોખ્ખું ઘી છે ! આ બધા અનીતિનાજ માગે છે. પોતે જાણતો હોય કે, આ કપડાના દસ રૂપિયા મુદ્દલ ભાવ છે, છતાં ગ્રાહકને સીધા વીસ રૂપિયા કહે, એ પણ ઘોર અનીતિ છે, રૂપિયો દોઢ રૂપિયાનો નફો કરી શકાય, પણ સીધા બમણા ને તમણાની વાત કરવી એ વાણિજ્યનીતિ ન કહેવાય, સટ્ટો એ પણ સુધરેલો જુગાર જ છે. તેવા માગે કોઈ લાખો ને કરોડો મેળવી લે, તો એ પણ સદ્રવ્ય ના કહેવાય. કોઈનો પણ દ્રોહ કર્યા વગર વ્યાજબી ભાવે વ્યાપાર કરવા પૂર્વક જે અથર્જન કરવામાં આવે, તે ન્યાય સંપન્ન કહી શકાય. વાણિજ્યના ક્ષેત્રમાં ભેળસેળ કે મિલાવટ કરવા જેવું કંઈ ભયંકર પાપ નથી, તે તો જનતા જનાર્દનનો દ્રોહ કર્યા બરાબર છે. તેવા મનુષ્યોને આ લોકમાં પણ રાજ્ય શાસન તરફથી અનેક કષ્ટો ભોગવવાં પડે