SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ખેર નથી ! આવી રીતે માલિકને જ સામા નૂર ભરાવે તે સ્વામિનો ભયંકર દ્રોહ કહેવાય છે કે સ્વામિ પણ ન્યાય સંપન્ન હોય તો ડરવાનું કોઈ કારણ જ નથી, પણ આજે તેવું છે કયાં ? અનીતિનું ધન શાંતિથી ભોગવી ન શકાય અને સન્માર્ગે વાપરી પણ ન શકાય પૈસાના પ્રલોભનમાં આવીને જેવી રીતે પોતાના સ્વામિ સાથે દગો કરે તેવી રીતે મિત્રની સાથે પણ દ્રોહ. કરે એટલે કે, જેને પોતાનો જીગરજાન દોરત માન્યો હોય તેને પણ પૈસા પડાવવા માટે બરોબરનો જાળમાં ફસાવી દે, તે મિત્રદ્રોહ કહેવાય. કેટલાયને મિત્રોને બોલતા સાંભળ્યા છે કે, આપણને ખબર ન હતી કે આ આપણો મિત્ર થઈને આપણી સાથે આવી રમત રમી જશે. જેને આપણે જીગરજાન માન્યો હોય તે પણ આપણી સાથે આવી રમત રમી જાય, ત્યારે હવે આ દુનિયામાં ભરોસો કોનો કરવો ? વિશ્વાસુ સાથે વિશ્વાસઘાત કરીને, તેના દ્રવ્યનું અપહરણ કરવું અથવા ચોરીથી ધન ભેગું કરવું એ બધા નિંદનીય ઉપાયો છે. માટે ન્યાયથી ઉપાર્જન કરેલ વૈભવજ આ લોકમાં મનુષ્યો માટે હિતકારી છે. તે વૈભવનો મનુષ્યો શાન્તિથી ભોગવટો કરી શકે છે. બીજાઓને તેવા મનુષ્યો પ્રતિ ખોટી શંકા કુશંકાઓ પણ થતી નથી. જે હલકા ઉપાયોથી ધન મેળવેલું હોય તો લોકોનાં મન દૂષિત થયા વિના રહે નહીં. જેમ આજે કોઈ કોઈ શ્રીમંતો માટે કેટલાકો બોલી પણ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy