________________
૨૨.
મંગલાચરણ
છે. અને ભવાંતરમાં પણ તિર્યંચાદિ દુર્ગતિઓમાં અનેક દારૂણ દુઃખો ભોગવવાં પડે છે. વાણિજ્યના ક્ષેત્રમાં એકલા પોતાનાજ સ્વાર્થ તરફ જોવાનું ન હોય, ગ્રાહકના હિતનો પણ પહેલો ખ્યાલ રાખવો જોઈએ, તોજ તે વાણિજ્ય કહેવાય.
અર્થ પુરુષાર્થને પુરુષાર્થ ક્યારે કહી શકાય?
ગમે તે માગે અથર્જન કરવું તે ગૃહસ્થો માટે શોભારૂપ નથી. અર્થ ઉપાર્જન કરવું તેને પણ અર્થ પુરુષાર્થ કહેવામાં આવે છે. હવે વિચારવાનું એટલું જ છે કે, તેને પુરુષાર્થની સંજ્ઞા કયારે લાગુ પાડી શકાય ? જે તે નીતિ અને ન્યાયને માર્ગેથી ઉપાર્જન કરવામાં આવે, તોજ તેને અર્થ પુરુષાર્થની સંજ્ઞા લાગુ પડે. પુરૂષ પ્રયત્નવડે જે સિદ્ધ થાય તેને પુરુષાર્થ કહી શકાય, જે કે અર્થ અને કામ બને પાપરૂપ પુરુષાર્થો છે. તેની પાછળ ઘણું ઘણું પાપ સેવવાં પડે છે. આમ હવા છતાં તે બન્નેને પુરુષાર્થ તો કહ્યા છે. અર્થ પુરુષાર્થને પુરુષાર્થ ત્યારેજ કહી શકાય, જે નીતિ અને ન્યાયથી અર્થાજન કરવામાં આવે. અર્થાજનના માર્ગમાં જો નીતિનું પાલન ન હોય, તે તેને પુરુષાર્થ નહીં પણ એક પ્રકારની લૂંટ કહી શકાય, જે લૂંટનેજ અર્થ પુરુષાર્થ કહેવો હોય તો લૂંટારાઓને મહા પુરુષાર્થિ કહેવા પડશે. માટે જેમાં નીતિ અને ન્યાયનું પાલન ન હોય, તેવા અર્થ પુરુષાર્થને પુરુષાર્થ કહી શકાય નહીં.