________________
મંગલાચરણદ
બને છે. ગૃહસ્થોનું નીતિમય જીવનજ અધ્યાત્મિક જીવનને શોભાવનારું છે. જ્યાં નૈતિકતા નહીં ત્યાં આધ્યાત્મિકતા કેવી ? ત્યાં અધ્યાત્મની કેવળ શુષ્ક વાતોજ છે. અધ્યાત્મિક જીવનનું ઘણું જ મૂલ્યાંકન છે પણ સામે ૌતિક જીવન ઊંચામાં ઊંચું હોય તો ? મહાવ્રતાદિના પાલનરૂપ અથવા શ્રાવકના બારવ્રતાદિના પાલનરૂપ જિનેશ્વર ભગવાનના વચનાનુસાર તત્ત્વાર્થના ચિંતનયુક્ત અને મૈથ્યાદિ ભાવનાયુક્ત જીવન અધ્યાત્મિક જીવન કહી શકાય. આવા પવિત્ર જીવનમાં નૈતિક્તાનો અભાવ એ કેટલી વિચિત્ર વાત. કહેવાય? એ તો દરિયો પાર કરી જનાર ખાડીમાં ડૂબી મરે તેના જેવી વાત છે. વ્રત અને તપ જપાદિયુક્ત જીવન એ તો દિવ્ય જીવન કહી શકાય. તેવું દિવ્ય જીવન જીવનાર માટે માર્ગાનુસારીતાનું પાલન એ તો સામાન્ય વાત કહેવાય. સમુદ્ર પાર કરી જનાર શું સરિતા પાર ન કરી શકે ? એ. તો દિમાગમાં પણ બેસે તેવી વાત નથી.
શરૂઆતમાં અપૂર્વ ઉત્સાહ અને પાછળથી ધબડકો
ઉપધાન જેવું મહાન અનુષ્ઠાન કરનારાઓના જીવનમાં પણ પાછળથી જો રાત્રિ ભોજન અને કંદમૂળાદિનો ત્યાગ પણ ન દેખાય, માર્ગાનુસારીતાના ગુણોને પણ ન અનુસરતા હોય તો સમજવું કે તેઓએ મહાન અનુષ્ઠાન કરવાના સમયે ઉત્સાહ ઘણો દાખવ્યોપણ પાછળથી સાવ ધબડકો વાળી નાંખ્યો! લગભગ દોઢ મહીનાથી પણ અધિક સમય આવા મહાન અનુષ્ઠાનમાં પસાર