SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણદ બને છે. ગૃહસ્થોનું નીતિમય જીવનજ અધ્યાત્મિક જીવનને શોભાવનારું છે. જ્યાં નૈતિકતા નહીં ત્યાં આધ્યાત્મિકતા કેવી ? ત્યાં અધ્યાત્મની કેવળ શુષ્ક વાતોજ છે. અધ્યાત્મિક જીવનનું ઘણું જ મૂલ્યાંકન છે પણ સામે ૌતિક જીવન ઊંચામાં ઊંચું હોય તો ? મહાવ્રતાદિના પાલનરૂપ અથવા શ્રાવકના બારવ્રતાદિના પાલનરૂપ જિનેશ્વર ભગવાનના વચનાનુસાર તત્ત્વાર્થના ચિંતનયુક્ત અને મૈથ્યાદિ ભાવનાયુક્ત જીવન અધ્યાત્મિક જીવન કહી શકાય. આવા પવિત્ર જીવનમાં નૈતિક્તાનો અભાવ એ કેટલી વિચિત્ર વાત. કહેવાય? એ તો દરિયો પાર કરી જનાર ખાડીમાં ડૂબી મરે તેના જેવી વાત છે. વ્રત અને તપ જપાદિયુક્ત જીવન એ તો દિવ્ય જીવન કહી શકાય. તેવું દિવ્ય જીવન જીવનાર માટે માર્ગાનુસારીતાનું પાલન એ તો સામાન્ય વાત કહેવાય. સમુદ્ર પાર કરી જનાર શું સરિતા પાર ન કરી શકે ? એ. તો દિમાગમાં પણ બેસે તેવી વાત નથી. શરૂઆતમાં અપૂર્વ ઉત્સાહ અને પાછળથી ધબડકો ઉપધાન જેવું મહાન અનુષ્ઠાન કરનારાઓના જીવનમાં પણ પાછળથી જો રાત્રિ ભોજન અને કંદમૂળાદિનો ત્યાગ પણ ન દેખાય, માર્ગાનુસારીતાના ગુણોને પણ ન અનુસરતા હોય તો સમજવું કે તેઓએ મહાન અનુષ્ઠાન કરવાના સમયે ઉત્સાહ ઘણો દાખવ્યોપણ પાછળથી સાવ ધબડકો વાળી નાંખ્યો! લગભગ દોઢ મહીનાથી પણ અધિક સમય આવા મહાન અનુષ્ઠાનમાં પસાર
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy