SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ગુણ સમજાવે. માર્ગાનુસારીતાના ગુણોનો એવો તો અજબ પ્રભાવ છે, કે તેમાંના અમુક ગુણોને અનુસરનારો જીવ પણ આગળ જતાં તે ગુણોના પ્રભાવે યોગ્યતા પ્રગટતાં સમકિતિ પણ બને. અને ત્યારબાદ તે જીવ દેશવિરતિ અને સર્વ વિરતિને પણ યોગ્ય બની શકે. અધ્યાત્મિક જીવનનું ઘણું જ મૂલ્યાંકન પણ સાથે નૈતિક જીવન પણ ઊંચું હોય તો? કેટલાકો બાર વૃતાદિ સ્વરૂપ ધાર્મિક જીવનની ઉચ્ચ ભૂમિકાઓ સુધી પહોંચી ગયા હોય છે. પણ તેમનામાં કેટલીકવાર ધાર્મિક જીવનની નીચલી ભૂમિકાનું બિલકુલ ઠેકાણું હોતું નથી. તેઓ આમ જુઓ તો બારવ્રત પાળતા હોય, દરરોજ ચૌદ નિયમ ધારતા હોય, સવાર – સાંજ પ્રતિક્રમણ કરતા હોય, પર્વ તિથિએ પૌષધાદિ પણ કરતા હોય, અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરવા પૂર્વક વ્રત પચ્ચક્ખાણદિ પણ કરતા હોય છતાં તેમનામાં નૈતિકતા ના દર્શન થતા હોતા નથી. ઉપાશ્રયમાંથી સામાયિક અને પૌષધ પાળીને વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં જોડાયા બાદ, તેઓ નીતિ અને ન્યાયની મર્યાદા જાળવી શકતા નથી. જેઓ જાળવી શક્તા હોય તેઓ પોતાના ધાર્મિક જીવનને દીપાવનારા છે. ધાર્મિક જીવનની આટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછી શરૂઆતની ભૂમિકાને પણ જેઓ નિભાવી શક્તા નથી તેવાઓની ધાર્મિક જીવનની અનુમોદના થવાને બદલે ઉલટી દુનિયામાં હેલના થતી જોવામાં આવે છે. જીવનમાં નૈતિકતા હોય તો જ અધ્યાત્મિકતા પ્રશંસનીય
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy