SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ બગલાચરણ કર્યાં પછી તો જીવનમાં ધાર્મિક સંસ્કારોની કેટલીખષી પુષ્ટિ થઈ જવી જોઇએ ! ઉપધાનની ક્રિયામાં જોડાએલાઓને તપ તો અત્યંત દુષ્કર કરવાનું હોય છે, પણ તેની સાથે ક્રિયા તો એટલીબધી કરવાની હોય છે કે આખો દિવસ ક્રિયામાંજ પસાર થઈ જાય છે. ઉપધાનમાં દરરોજ સો લોગસ્સનો કાઉસગ્ગ, વીશ નવકાર મંત્રની બાધાપારાની માળાઓ, સો ખમાસમણા, અન્ને ટાઈમ પ્રતિક્રમણ, ત્રણે કાળ દેવવંદન, રાતના શયન કરતા પહેલાં સંથારા પોરિસિ સૂત્રોની વાંચના વગેરે અનેક ક્રિયાઓ કરવાની હોય છે. આવી મહાન ક્રિયામાંથી પસાર થયા હોય તેમનામાં ધર્મના સ`સ્કાર તો અસ્થિમજાવત જામી ગયા હોય, ક્રિયાનો તો અમુક કાળ હોય છે, કાળ પુરો થાય એટલે ક્રિયાની પૂર્ણાહુતિ થઈ જાય છે, પણ તેટલા કાળ દરમ્યાન જીવનમાં જે ધર્મના સંસ્કાર પોષાયા હોય, તે તો જાવજીવ લગે જીવનમાં ટકી રહેવા જોઇએ. લગભગ પોણા ચાર મહિનાના કાળમાં ઉપધાન તપમાં એવી તો તાલીમ મળી જાય છે કે જીવમાં થોડી પણ યોગ્યતા હોય અને ઉપધાનની ક્રિયા સમજણપૂર્વક કરી હોય, તો ધર્મનો કાચો રંગ નહીં પણ ચોળમજીનો રંગ લાગ્યા વિના રહે નહીં. સમજણુના અભાવમાં દેખાદેખીથી અથવા ખીજા કોઈ પ્રલોભનોથી ગતાનુગતિકપણે જીવ ગમે તેટલી ક્રિયાઓ કરે, પણ અંતે તે ક્રિયાઓની પૂર્ણાહુતિ થયા ખાઇ જીવની હાલત ઘાંચીના અળદિયા જેવીજ રહેવાની છે. અને જીવ સમજણુના ઘરમાં આવીને જ્ઞાનપૂર્વકની થોડીપણ ક્રિયા કરે, તો તેને અમૃતક્રિયા કહેવામાં આવે છે. અને તેવી થોડી પણ ક્રિયા જીવ માટે ! ર
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy