________________
મંગલાચરણ
૨૮૫
રહેવા કહ્યુ. પત્નીએ કહ્યુ નાથ ! આપ મારાથી એક્કિર રહેજો. હું મારા શીલને ચિંતામણી રત્નથી અધિક લેખું છું. પ્રાણ જતા કરીશ પણ શીલ નહીં જવા દઉં. આપ ખુશીથી અહારગામ જઈ આવો. મોદી જેવો બહારગામ ગયો કે રાજાએ ખાઈપર કહેણ મોકલાબ્યું કે હું રાતના ખાર વાગે તારે ઘેર આવીશ. ખાઈએ કહેવડાવ્યુ. આપ ખુશીથી પધારો. આપનું યોગ્ય સ્વાગત થશે. રાજાના મનમાં મલીનતા છે. અને માઈના મનમાં નિર્મળતા છે.
ખાઇએ રાજાના સ્વાગત મટે પાંચ જુદા જુદા કલરના ગ્લાસ મગાવ્યા અને તે દરેક ગ્લાસમાં કેશરી દૂધ અગાઉથી ભરી રાખ્યું. પાંચ ગ્લાસ તૈયાર રાખેલા. ગ્લાસના ઉપરના કલર એટલા બધા અદ્ભૂત હતા કે જોનારને એમ જ લાગે કે દરેક ગ્લાસમાં શું શું ચીજ ભરવામાં આવી હશે ? દરેક ગ્લાસમાં પીવાની અલગ અલગ ચીજો ભરી રાખી હશે એમ લાગ્યા વિના રહે નહીં છતાં કલર અલગ હતા પણ અ ંદર વસ્તુ એકની એક હતી. રાજા રાતના ખાર વાગે આવી પહોંચ્યો. રાજા દૃષ્ટિમાં વિકારનું વિષ ભરીને આવેલો છે. ખાઈની દૃષ્ટિમાં અમૃત ભર્યું છે. રાજાએ જેવો ઘરમાં પ્રવેશ કર્યો કે ખાઇએ. હાર પહેરાવીને સ્વાગત કર્યું. રાજાની સાથે કોઈ એકાદ અંગ રક્ષક હતો તેને મહાર જ ઊભો રાખ્યો. ખાઇએ રાજાને યોગ્ય આસનપર બેસાડીને કેશરી દૂધના પાંચે ગ્લાસ રાજાની આગળ ધરી દીધા.
રાજા ગ્લાસના કલર જોઈને ચકિત બની ગયો. અને