________________
૭૨
મંગલાચરણ
અને આંબલીની ચટણના રસ ખૂબ પોષાય છે અને અંતે શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે.
બાકી બધી ઈન્દ્રિયોને પોતપોતાના વિષયનું કામ. જ્યારે જિહાને કુદરતે બે કામ સોંપ્યા, એક સ્વાદ માણવાનું અને બીજું લવારો કરવાનું. જિહાપર માનવી કંટ્રોલ ન રાખે તો અનેકો સાથે વેર બંધાય. બોલતા ભાન ન રાખે એટલે હાલતા અનેકો સાથે મનદુઃખ થાય. જિન્હાપર કંટ્રોલ આવે તો બાકીની ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવું ઘણું સહેલું થઈ જાય.
દ છ ત
.
સ્વાદવૃત્તિને જીતી લેનારા મહાપુરૂષો નિત્યભાજી હોવા છતાં નિત્ય ઉપવાસી કહ્યા છે. પૂર્વકાળમાં સુરપ્રભ કરીને રાજા હતો. તે એકવાર બહાર ઉદ્યાનમાં પોતાના દીક્ષિત બનેલા ભાઈના આવાગમનના સમાચાર સાંભળીને પોતાના ઘણું સેવકોની સાથે મુનિરાજના દર્શનાર્થે આવ્યો. મુનીરાજને પ્રણામ કરતાં સૌ રોમાંચિત થઈ ગયા અને તેમના મુખની વાણી સાંભળીને હૃદયમાં આનંદને અનુભવતા સૌ પોતપોતાને સ્થાને પહોંચી ગયા.
મહારાણીએ અભિગ્રહ ધારણ કર્યો
રાજાએ મુનિરાજના આવાગમનની વાત અંતેઉરમાં કરી એટલે મહારાણીઓને મનમાં દેવર મુનિને વંદનાર્થે