________________
મંગલાચરણ
૨૭૧
आपदां कथितः पन्था, इन्द्रियाणामसंयमः । तज्जय संपदा मार्गो, येनेष्टं तेन गम्यताम् ।
ઈન્દ્રિયોનો અસંયમ એ જ આપત્તિનો માર્ગ છે અને તેને યે કરવો તે સંપત્તિનો માર્ગ છે. જે માર્ગ ઈષ્ટ લાગે તે માર્ગે ચાલ્યા જાવ. સ્વર્ગ અને નરક બનેની પ્રાપ્તિ ઇન્દ્રિયોથી થાય છે. જે ઈન્દ્રિયોને વશ રાખવામાં આવે તો સ્વર્ગે જવાય અને આત્મા પોતે જે ઈન્દ્રિયોનો ગુલામ બની જાય અને ઇન્દ્રિયોને છૂટી મૂકી દેવામાં આવે તો નરકે જવાય છે. માટે આત્મારૂપી ઈન્ડે ઈન્દ્રિયોરૂપી ઈન્દ્રાણીયોને કદાપિ વશ ન થઈ જવું. બલકે ઈન્દ્રિયોને વશ રાખવી જેથી ભવોનાભવો સુધી પરાધીનતાના કષ્ટો વેઠવાં ન પડે. દુનિયામાં પાંચે ઈન્દ્રિયોમાં રસનાની રામાયણ બહુ મોટી છે. એક સ્વાદને માનવી જીતી લે તો પાંચે ઈન્દ્રિયો જીતાઈ જાય. ભાણે બેઠા પછી જે ભોજનમાં સ્વાદ ન હોય તો ખાતા જાય ને કચ કચ કરતા જાય અને સ્વાદ હોય તો ખાતા જાય ને બચ બચ કરતા જાય. આહા ! કોઈ ઢોકળાં બન્યા છે, પછી તો મોકળાં થઈને ખાય. પહેલાના કાળમાં પેટ ભરવાના ધ્યેયથી મનુષ્યો ભોજન લેતા. આ કાળમાં તો મોટે ભાગે રસનાને રમાડવાની વાત છે. બાળકોને મોટી ઉંમરના થયા પછી કોઈ ન રમાડે પણ રસનાને જિંદગી આખી રમાડવાની વાત. બધા રોગોનું મૂળ રસ છે. ભોજનમાં જેવું હોય તો ઘી દૂધનો કસ જેવાનો હોય પણ એકલો રસ જેવાનો ન હોય. આજે ભોજનમાં કસ રહ્યો નથી પણ ઈટલી ઢોંસાના