________________
મગલાચરણ
જવાની એકદમ ઉત્કંઠા જાગૃત થઈ ગઈ. મુખ્ય પટરાણીએ તો એવો અભિગ્રહ ધારણ કર્યો કે આવતી કાલે સવારના સોમ નામના દેવર મુનિના દન વંદન કર્યાં ખાદ જ મોંમાં અન્ન જળ ખપે ! નગર અને ઉદ્યાનની વચમાં એક મોટી નદી હતી. ઉપરના ભાગમાં વર્ષાને લીધે નદીમાં ઘોડાપૂર આવવાને લીધે નદ્દી બે કાંઠે છલકાઈ ગઈ. નદીમાં પૂર આવવાના સમાચાર મળવાથી મુખ્ય પટરાણી વિચારવા લાગી કે મારા કેવા અંતરાય કર્મીનો ઉદય કે આજે મારો અભિગ્રહ પૂરો નહીં થાય. મહારાણી વ્યાકુલિત મને મહારાજાને કહેવા લાગી કે આજે મારો અભિગ્રહ શી રીતે પૂરો થશે ? મહારાજાએ કહ્યું તું ચિન્તા ન કર. તારો અભિગ્રહ પૂર્ણ થશે. મહારાણીએ કહ્યું આપ મને આશ્વાસન આપી રહ્યા છો પણ ઉપરના ભાગમાં અણુધાર્યો. વરસાદ થતાં નદીમાં એવું તો ઘોડાપૂર આવ્યું છે કે નદી કેમે પાર કરી શકાશે નહીં અને લીધેલો અભિગ્રહ પૂરો થશે નહીં.
પતિના આદેશમાં પતિવ્રતાએ નિરથ ક વિકલ્પો નહી કરવા
રાજાએ કહ્યું મહારાણી તમે મનમાં ખેદ આણો નહીં. અને સપરિવાર નદી કિનારે પહોંચી જાવ અને નદી દેવીને આવાહન કરવાપૂર્વક બે હાથ જોડીને શુદ્ધ મને આવી રીતે પ્રાથના કરજો કે, “હે દેવી ! મારા દેવરે જે દિવસથી દીક્ષા અંગીકાર કરી છે તે દિવસથી મારા ભર્તાર બ્રહ્મચારી હોય તો તું મને સામા કિનારે પહોંચવા રસ્તો આપ.” આ રીતે