________________
૧૬૦
મંગલાચરણ
બીજાને નુકશાન પહોંચાડે તેવાને અધમાધમ કહ્યા છે. આ ચારમાં આપણો નંબર કયાં લાગે છે તે વિચારી લેવું ? ? ? ?
સારને પામનારનો અવતાર ધન્ય અને
સંત સૂરદાસ એક ભજનમાં કહે છે કે :
मन रे तु वृक्षनसे मत ले काटे वापर कोप करे नही सीचे नही सनेह मन रे तु वृक्षनसे मत ले आप सीर पर धूप सहतु है और न कुं छाया दे । जो कोई वां पर पत्थर चलावे ताही को फल दे ।। मन रे तु वृक्षनसे मत ले
धन धन जगमें वो जड पदारथ वृथा मनुष्यकी देह । सूरदास कहे मन वचन करी संतनको मत एह ॥ मन रे तु वृक्षनसे मत ले
અરે હું મન ! તારે આ વૃક્ષમાંથીએ શિક્ષાપાઠ લેવાનો છે. વૃક્ષને કાપે તેની પર તે કોપ કરે નહીં અને તેના મૂળમાં પાણી સીંચે તેની પર પણ સ્નેહ કરે નહીં. વૃક્ષમાં કેવી સમતા છે ! તેવી સમતા તુ પણ જીવનમાં આદર ! વૃક્ષ પોતાનાં શીરપર ગ્રૂપ (તડકો) સહન કરે છે અને ખીજાને છાયા આપે છે. અને જે કોઈ તેની પર પત્થર