SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ મંગલાચરણ સભારવાથી સામી વ્યક્તિપર મનમાં વિશ્વેષ આવી જાય એટલે કોઈએ ગમે તેટલી આપણીપર બૂરાઈ કરી હોય તે પણ મનમાં લાવવી નહીં. એક ભકત કવિએ લખ્યુ છે કે : नारायण दो बात को दीजे सदा विसार । करी बूराइ और ने आप कीयो उपकार || આ દોહરાનું રહસ્ય ઉપરના વિવેચનમાં સ્પષ્ટ થઈ ગયેલ છે. તેજ કવિએ લખ્યું છે કે : दो बातन को भूल मत, जो चाहत कल्याण | नारायन एक मौत को, दूजो श्री भगवान ॥ એ ને વિસારો અને એ ને સદા સંભારો આ દોહરામાં લખે છે કે એ બાબત એવી છે કે તેને કયારે પણ ભૂલવી નહીં. ઉપરોકત એ ખામતને સંભારવી નહીં, જો પોતાના કલ્યાણને આપણે ઈચ્છતા હોઇએ તો મૃત્યુ અને ભગવાન આ છે ને ક્યારે પણ ભૂલવા નહીં. મૃત્યુ નજર સામે રહેવાથી માણસ પાપ કરતા અચકાય અને ભગવાન અહર્નિશ હૃદયમાં રહેવાથી મનમાં ખોટા વિચારો આવે નીં. મોત માથાપર જ ભમે છે એમ જો મનુષ્યો વિચારતા થઈ જાય તો તેમને ખાવુ પણ ભાવે નહીં, તો પછી અકૃત્ય કરવાની તો વાત જ કયાં રહી ? અને ભગવાન સદા સ્મૃતિપટમાં રહે એટલે હૃદયમાં કામ, ક્રોધ અને લોભરૂપી સેતાનનો પ્રવેશ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy