________________
૨૪૬
મંગલાચરણ
સભારવાથી સામી વ્યક્તિપર મનમાં વિશ્વેષ આવી જાય એટલે કોઈએ ગમે તેટલી આપણીપર બૂરાઈ કરી હોય તે પણ મનમાં લાવવી નહીં. એક ભકત કવિએ લખ્યુ છે કે :
नारायण दो बात को दीजे सदा विसार । करी बूराइ और ने आप कीयो उपकार ||
આ દોહરાનું રહસ્ય ઉપરના વિવેચનમાં સ્પષ્ટ થઈ ગયેલ છે. તેજ કવિએ લખ્યું છે કે :
दो बातन को भूल मत, जो चाहत कल्याण | नारायन एक मौत को, दूजो श्री भगवान ॥ એ ને વિસારો અને એ ને સદા સંભારો
આ દોહરામાં લખે છે કે એ બાબત એવી છે કે તેને કયારે પણ ભૂલવી નહીં. ઉપરોકત એ ખામતને સંભારવી નહીં, જો પોતાના કલ્યાણને આપણે ઈચ્છતા હોઇએ તો મૃત્યુ અને ભગવાન
આ છે ને ક્યારે પણ ભૂલવા નહીં. મૃત્યુ નજર સામે રહેવાથી માણસ પાપ કરતા અચકાય અને ભગવાન અહર્નિશ હૃદયમાં રહેવાથી મનમાં ખોટા વિચારો આવે નીં. મોત માથાપર જ ભમે છે એમ જો મનુષ્યો વિચારતા થઈ જાય તો તેમને ખાવુ પણ ભાવે નહીં, તો પછી અકૃત્ય કરવાની તો વાત જ કયાં રહી ? અને ભગવાન સદા સ્મૃતિપટમાં રહે એટલે હૃદયમાં કામ, ક્રોધ અને લોભરૂપી સેતાનનો પ્રવેશ