________________
અચાચરણ
થઈ શકે જ નહીં માટે આ બે ને કયારે પણ ભૂલવા નહીં. સામાના અણુ જેટલા ઉપકારને ન ભૂલે
તે જ ખરો કૃતજ્ઞ એક પાણીનો લોટો પાવા જેટલો પણ કોઈએ આપણી પર ઉપકાર કર્યો હોય તો જીદગીભર આપણાથી ભૂલાય કેમ? સજજન ઉપકારીના એક અણુ જેટલા ઉપકારને પણ ભૂલે નહીં અને ધવલશેઠ જેવા દુર્જન શ્રીપાલ મહારાજાના મેરૂ પર્વત જેવા ઉપકારોને પણ ભૂલી બેઠા હતા. અને મહાન ઉપકારી શ્રીપાલ મહારાજાપર અનેકાનેક અપકાર ગુજાર્યા હતા અને અંતે મૃત્યુને પામીને સાતમી નરકે સંચર્યો. “ગરજ સરી ને વૈદ્ય વેરી” એવી સ્વાર્થ વૃત્તિવાળા મનુષ્યોને અધમાધમ કોટીના કહ્યા છે જેમને બીજા શબ્દોમાં કૃતળી કહેવામાં આવે છે. નીતિકારે ત્યાં સુધી લખ્યું છે કે : ....मित्रद्रोही कृतघ्नश्च, यश्चविश्वासघातकः ।
ते नरा नरकं यांति, यावश्चंद्र दिवाकरौ ।
મિત્રનો દ્રોહ કરનાર, સામાના ઉપકારને ભૂલી જનાર બલકે, ઉપકારી પર અપકાર કરનાર અને વિશ્વાસઘાત કરનારા મનુષ્યો નરકગતિમાં ચાલ્યા જાય છે. જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર છે ત્યાં સુધી નરકનાં દુઃખ ભોગવતા રહે છે, એટલે કે માણ લાંબા કાળ સુધી તે જીવોને નરગતિનાં દમ્બ ભોગવવા પડે છે. એટલા માટે ભાવિમાં ઉત્તરોત્તર કાણુની સંખને