SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૨૪૫ જેને બહારમાં જ સુખ દેખાય છે તેને બહિરાત્મા કહેવામાં આવે છે. તેવા જીવો બહારમાં એટલે ચાર ગતિરૂપ સંસારમાં જ ભટક્તા રહે છે. સદૂગુરૂના સંપર્કમાં આવનારો જીવ સત્સંગના પ્રભાવે વિશેષજ્ઞ બની પરંપરાએ આત્મજ્ઞ બની નિજ આત્મહિતને સાધી લે છે. કૃતજ્ઞો લોક વલ્લભા અન્યના કરેલા ઉપકારોને જાણનારો તેને કૃત કહેવામાં આવે છે. કોઈએ આપણીપર ગમે તેટલા અપકારો કર્યા હોય તે કદી સંભારવા નહીં. તેમ જ આપણે કોઈ પર ગમે તેટલા ઉપકારો કર્યો હોય તે પણ સ્મૃતિપટમાં લાવવા નહીં, એમ જ સમજવું કે આપણે આપણું કર્તવ્ય બનાવ્યું છે. આપણે અમુક વ્યક્તિ પર અગણિત ઉપકારો કર્યા હોય અને તે કદાચ આપણને ભૂલી પણ જાય, યત્કિંચિત્ પણ ઉપકારનો બદલો ન વાળી શકે, છતાં જો આપણે આપણું કર્તવ્ય સમજીને - સામી વ્યક્તિ પર ઉપકારો કર્યા હોય તો આપણે તે વ્યક્તિ પ્રતિ મનમાં લેશ પણ હલકા વિચારો ન આવે. અરર ! મેં આ વ્યક્તિ પર અગણિત ઉપકારો કર્યા છે અને આજે તે સારી પોજીશનમાં છે, છતાં પ્રતિઉપકારનો તેનામાં જરાએ ભાવ દેખાતો નથી. કુતરાને બટકું રોટલો નાખ્યો હોય તો ઉપકાર ભૂલતો નથી ત્યારે શું માનવ સ્થાનમાંથીએ ગયો કે ઉપકારીના ઉપકારને ભૂલી જાય છે. આવા આવા અનેક વિચારો આવવાથી મન વિચારવમળમાં જ અટવાઈ જાય, માટે આપણે કરેલા ઉપકારો સંભારવા નહીં. અને અપકારો
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy