________________
મંગલાચરણ
ભરણપોષણ કરવુ જોઇએ. દાખલા તરીકે નબળી સ્થિતિનો મિત્ર, પરિવાર વગરની પોતાની બહેન, કોઈ વૃદ્ધ જ્ઞાતિજન, ક્રોઈ કુલીન મનુષ્ય જે તદ્ન નિધન થઈ ગએલો હોય અથવા તો બીજા પણ નબળી સ્થિતિના મનુષ્યો હોય તેમનુ પણ ગૃહસ્થે જો પોતાની પાસે સ`પત્તિનો યોગ હોય તો જરૂર પોષણ કરવું.
૨૪૦
પોષ્ય વર્ગ પ્રમાદી ન બની જાય તે માટે તેમને યોગ્ય કાર્યોમાં જોડવા
ગૃહસ્થ જેનુ ભરણ પોષણ કરે તેમને યોગ્ય કાર્યોંમાં જોડવા. પોતાના પુત્ર-પૌત્રાદિ ઉંમર લાયક થાય એટલે તેમને યોગ્ય કાર્યોંમાં જોડવા. તેમજ આર્થિક દૃષ્ટિએ ભલે અશકત હોય પણ શારીરિક દૃષ્ટિએ સશકત હોય તેવાને પણ યોગ્ય કાર્ય માં જોડવા. જો તેઓને યોગ્ય ધર્મધ્યાનાદિમાં અથવા વ્યાપારવાણિજ્યમાં જોડવામાં ન આવે તો તેઓ જુગારાદિ વ્યસનમાં ચડી જાય અને પ્રમાદી થઈ જતે દહાડે પોતાની જિંદગી બરબાદ કરી નાખે. તે પોષ્ય વગને જે જે કાર્યોમાં જોડેલા હોય તેઓ જે કાંઈ પુરૂષાને સાધતા હોય તેમના પ્રતિ પોષણ આપનારા પુરૂષે પુરતું લક્ષ આપવું. જો તેમનુ પોષણ કરનાર પુરૂષ લક્ષ રાખે તો મતાવેલા કાર્ય માં તેઓ હૃદયને જોડે અને લક્ષ ન રાખે તો તેઓ સિદાઈ જાય અને કાર્ય કરવાને સમ ખની શકે નહીં. આટલું કરવા છતાં તે પોષ્યવગ માંથી કોઈ લોકવિરૂદ્ધ અનાચારના સેવનથી લોકમાં નિન્દાને પાત્ર બને તો તેનુ ભરણ પોષણ કરનારા માલીકે