________________
મંગલાચરણ
-
૨૭૧
વૃદ્ધિને પામતી નથી અને શિલ્ય આત્મા ઉત્તરોત્તર ઉચ્ચ શ્રેણીએ પહોંચતો જાય છે. આ ત્રણે ભાવશલ્યો છે. પગમાં કાંટો કે કાચ લાગી જાય તે તો દ્રવ્યશલ્ય છે. તે ન નીકળે ત્યાં સુધી પગમાં વેદના ઘાણ થાય. પગમાં ખટયા જ કરે. છતાં દ્રવ્યશલ્યને લીધે ચાર છ મહિનાની વેદના ભોગવવી પડે છે, જ્યારે ભાવશલ્યને લીધે ભવોનાભવો સુધી તીવ્રાતિતીવ્ર વેદનાઓ ભોગવવી પડે છે. માટે નિશલ્ય બનીને ગ્રતાદિ કરનાર જ ખરા વૃત્તસ્થ કહેવાય. તેવા પુરૂષોની સેવા કરવાથી કલ્પવૃક્ષની માફક તેમના સદુપદેશાદિ ફળની પ્રાપ્તિ થાય છે.
પોષ્ય પોષક
પચીસમો ગુણ છે પોષવા લાયક જે માતાપિતા, પત્ની, પુત્રપુત્રી એમનું યોગક્ષેમ કરવાવડે જરૂરી પોષણ કરવું. એટલું જ નહીં પોતાના આશ્રિત સગાવહાલા તેમજ સેવકાદિ તેમનું પણ ભરણ પોષણ કરવું. લૌકિક શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે :
वृद्धौच मातापितरौसती भार्यासुतान् शिशून् । - अप्यकर्मशतं कृत्वा, भर्तव्यान् मनुरब्रवीत् ॥
વૃદ્ધ માતા-પિતા, પોતાની સ્ત્રી, લઘુવયના છોકરાઓનું બીજા આવકના સાધનો ન હોય તો ગમે તેટલા કષ્ટો સહન કરીને પણ તેમનું ભરણ પોષણ કરવું તે મનુ કહે છે. અને ઘરમાં સંપત્તિ હોય તો તે સિવાય બીજાઓનું પણ