SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ મગલાચરણ આવી પ્રરૂપણા એ તો નર્યો અકવાદ કહેવાય. મોક્ષના ધ્યેયપૂર્વક થતાં વ્રતાદિરૂપ શુભ અનુષ્ઠાનને જ્ઞાનીઓએ ધર્માનુષ્ઠાન કહ્યા છે અને શુભોપયોગમાં પણ જ્ઞાનીઓએ ધમ માનેલો છે, માટે તાદિ આત્મા માટે અત્યંત હિતાવહ છે, એટલું જ નહીં વ્રત એ વાડ છે. હર્યાંભર્યાં ખેતરની રક્ષા માટે તેને ફરતી વાડ કરવામાં આવે છે, તેવી રીતે આત્માના ગુણોની રક્ષા માટે વ્રત પચ્ચક્ખ્ખાણુાદિની વાડ અત્યંત જરૂરી છે. નિશલ્યો પ્રતિઃ ૧૩૮ વ્રતમાં જીવ ન રહે તો વિષયોમાં આસકત મને. જ્ઞાની અને વિષયોમાં આસકત એ વાત કદાપિ સંભવતી નથી. માટે જ્ઞાનીનેત્રતમાં રુચિ હોય જ. જ્ઞાનનું ફળ જ વિતિ છે. જ્ઞાની જો વિરતિના માર્ગમાં ન આવે તો તેનું જ્ઞાન વધ્યું તરૂની ઉપમાવાળું છે. જે વૃક્ષને ફળ ન આવે તેને વધ્યું. તરુ કહેવામાં આવે છે. વ્રતી જ પરપરાએ વીતરાગ અને છે. અને વીતરાગ કેવલજ્ઞાન પામી મોક્ષે પહોંચે છે. જ્યારે અન્નતી જીવ જીવનમાં વિષય કષાયમાં આસકત ખની ક્રુતિનો અધિકારી અને છે. એટલી વાત જરૂર છે કે જેણે મનમાંથી શલ્ય કાઢી નાખ્યું તે જ ખરો વ્રતી છે. મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય, નિયાણુશલ્ય એ ત્રણે પ્રકારનાં શલ્ય અતિ ભયકર છે. અટલા માટે નિઃશલ્યને જ વ્રતી કહ્યા છે. કપટનું શક્ય મનમાં રાખીને લક્ષ્મણા સાધ્વીએ અતિ દુષ્કર તપ કર્યું, છતાં તેના વાસ્તવિક ફળને તે પામી નહીં, અને તેની શુદ્ધિ થઈ નહીં. શલ્યને લીધે જીવની અંદરની ગુણશ્રેણી
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy