SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મંગલાચરણ ગુણીજનના બહુમાનથી ઈન્સાન ગુણવાન બને સૌજન્ય, દાક્ષિણ્ય, ઔદાર્ય, ધૈર્ય, એ બધા ગુણ છે. તે ગુણો પ્રતિ પક્ષપાત રાખવો અને તે તે ગુણો જેમનામાં હોય તેવા ગુણીજનોને યોગ્ય આદર આપવો, તેમનું બહુમાન કરવું, તેઓ ઘરઆંગણે અચાનક આવી ચડ્યા હોયતો પધારો ! એવા પ્રિય શબ્દોથી તેમને સન્માનપૂર્ણ આવકાર આપવો તેને ગુણ અંગેનો પક્ષપાત કહેવાય. ગુણવાનના ગુણ પક્ષપાતથી ઈન્સાન પોતે ગુણવાન બને છે. ગુણીજનના ગુણની પ્રસંશા કરવી, તેમને સહાયક બનવું, તેમના પ્રતિ અનુકુળ પ્રવૃત્તિ વગેરે કરવી. આ રીતે ગુણજનના ગુણોનો પક્ષપાત રાખનારા જીવો પોતાના આત્મામાં અવંધ્ય ધર્મ બીજ વાવવાવડે પરંપરાએ પોતાના આત્માને ગુણસમુદાયનો ભાજન બનાવનારા બને છે. • દુનિયામાં નિષ્પક્ષ વિરલા પૂ. હરિભદ્રાચાર્ય જેવા મહર્ષિ ફરમાવે છે કે : पक्षपातो नमे वीरे नच द्वेष कपिलादिषु । युक्तिमद्वचनंयस्य तस्यकार्य परिग्रहः ॥ । એ મને વીરભગવાન પ્રતિ પક્ષપાત નથી અને કપિલાદિ પ્રતિ દેવા નથી. માત્ર જેમનું વચન યુક્તિયુક્ત છે. તેમના વચનનો હું આદર કરું છું કેવી અપૂર્વ ભાવના દર્શાવી છે ?
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy