SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ m સૂયગડાંગ સૂત્રનો એક શ્લોક ટાંકી મહારાજશ્રીએ સમજાવેલ છે કે, નગ્ન શરીરે જંગલમાં એકાકી રહેતો હોય, માસ ક્ષમણને પારણે અન્ન ગ્રહણ કરતો હોય, છતાં મનમાં જે માયારૂપી શલ્ય રહી ગયું હોય, તો તેવા જીવને પણ અનંતીવાર ગર્ભવાસમાં જવું પડે છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ પાંચમો ગુણ છે. વેષભૂષામાં સાદાઈની માફક ભોજનમાં પણ સાત્વિક્તા હોવી જોઈએ. આહાર શરીરના નિર્વાહ માટે લેવાનો છે, શરીરના રૂપ, રંગ કે વિષય વાસનાની તૃપ્તિ અર્થે લેવાનો નથી. મહારાજશ્રીએ મૃત્યુ પામનારની પાછળ રોવા કૂટવાના રિવાજની અત્રે કડક ટીકા કરી છે અને મૃત્યુ આત્માનું નથી થતું પણ માત્ર દેહનું જ થાય છે એ વાત યથાર્થ રીતે સમજાવી છે. આત્મા પોતાનું જીર્ણ દેહરૂપી નિવાસ સ્થાન છોડી, નવા નિવાસ સ્થાન રૂપી દેહમાં પ્રવેશ કરે, એનું નામ મૃત્યુ. શ્રી પદ્મનન્તાચાર્ય વિરચિત “અનિત્ય પંચાલતમાં આચાર્ય શ્રી કહે છે કે (શ્લોક-૨૭) “ઈષ્ટ જનોના મૃત્યુ પ્રસંગે અતીવ અફસોસ કરવાથી ભારે અશાતા વેદનીય કર્મ બંધાય છે, પછી તેની સેંકડો દુઃખદાયી શાખાઓ, ખેતરમાં રોપેલા નાનકડા વટવૃક્ષના બીજમાંથી વિસ્તરેલ શાખા-પ્રશાખાદિની જેમ પ્રસરે છે. માટે શોક પ્રયત્નપૂર્વક તજવો જોઈએ.” ચક્રવર્તીની સમ્રાણી - શ્રી દેવી ચકવતીના વિયોગથી માત્ર છમાસ વિલાપ કરે છે અને દુર્થોન સેવે છે, જેના ફળ સ્વરૂપે તેને છઠ્ઠી નરકમાં જવું પડયું. દરેક સંયોગનો અંત વિયોગમાં જ પરિણમે છે. પ્રિયજનના વિયોગનું દુઃખ જરૂર થાય, તેની વેદના પણ અસહ્ય હોય, પરંતુ આ બધાના પરિણામે માણસમાં વૈરાગ્ય જાગૃત થવો જોઈએ. તત્વાર્થ સૂત્રમાં (અધ્ય. ૭–૭) કહ્યું છે કે ગાયના ર ારા થર્ષના અર્થાત જગતનો અને શરીરનો સ્વભાવ ચિતવવો, જેના કારણે જીવનમાં સંવેગ અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. ઉપાધિયોગને પણ સમાધિ યોગમાં ફેરવતા શીખી લેવું જોઈએ. માનવ જાતને જે દુઃખ, આઘાત, વેદના સહેવા પડે છે એટલા માટે કે એ દ્વારા તે વધુ સુંદર અને
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy