SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ વધુ પવિત્ર બને. બાકી રાગ અને દુઃખ એ તો એક જ સિક્કાના બે પાસા છે. દુઃખથી મુક્ત રહેવા ઈચ્છનારે રાગ અને મોહથી પણ દૂર જ રહેવું ઘટે. - “પરનિન્દા મહાપાપ” (પાન ૧૪૮) આ અંગે મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે નિન્દા, ગહ અને આલોચના તો સ્વઆત્માની હોય- અન્યની નહીં. “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું” એવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો એવો માણસ પછી અન્યની નિંદા ને જ કરે. અન્યની નિંદા કરનાર એવું કર્મ બંધ કરે છે, કે જેના ફળસ્વરૂપે નીચ ગોત્ર પ્રાપ્ત થાય છે. કોઈના દુર્ગુણ કે નિંદાની જે વાતો કરે છે, તેનામાં જ કાંઈ ખામી રહેલી હોવી જોઈએ. એક સુભાષિતમાં કહ્યું છે કે વાવ પુષસ્થાના તાવાર રમાતે અર્થાત જેવો પુરૂષનો આત્મા, તેવા તેના બોલ. “સંગ તેવો રંગ' (પાન ૧૬૭) આ ગુણ વિષે રાજહંસ અને કાગડાનું દૃષ્ટાંત આપી મહારાજશ્રીએ ઉત્તમ રીતે સમજાવેલ છે. માતાપિતાની માત્ર સેવા જ નહીં પણ તેના પૂજક બનવું એ નવમો ગુણ છે. ઉપદ્રવયુક્ત સ્થાનથી દૂર રહેવું એ દશમો ગુણ છે. નિંદિત કાર્યોમાં ન પ્રવર્તવું એ અગિયારમો ગુણ છે. આવકને અનુસાર વ્યય કરવો એ બારમો ગુણ છે. એક વિદ્વાને સાચું જ કહ્યું છે કે He is rich who owes nothing. જેને કોઈનું દેવું નથી એ શ્રીમંત છે. માણસે પોતાનો વેષ વિજ્ઞાનુસાર રાખવા એ તેરમો ગુણ છે. બુદ્ધિના આઠ ગુણોનું વર્ણન તેમ જ ધર્મશ્રવણનો સમાવેશ ચૌદમા અને પંદરમા ગુણમાં થાય છે. અજીણે ભોજનના ત્યાગની વાત તેમજ પથ્ય ભોજન સેવનની વાત સોળમા ગુણમાં આવે છે. ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરૂષાર્થ સાધવાની રીત સત્તરમાં ગુણમાં બતાવેલ છે. ધર્મને પ્રથમ સ્થાન એ માટે આપેલું છે કે અર્થ અને કામ પણ ધર્મયુક્ત જ હોવા જોઈએ. ધર્મને તજી જે અર્થ કામ સેવે છે તેનો આ લોક તેમ જ પરલોક બને બગડે છે. તે પછી “અતિથી સત્કાર ગુણની વાત કરવામાં આવી છે. ઉપનિષદ પણ કહે છે કે સાત્તિ જેવો જય અતિથિ દેવ તુલ્ય છે. પુણીયો શ્રાવક રોજ પુણીયો બનાવતો અને
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy